SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 10 • પ્રસ્તાવના : द्वात्रिंशिका જૈન ચિંતનની તેમણે સાર્વત્રિકતા સિદ્ધ કરી છે. અને પરસ્પર દર્શનીઓ વચ્ચે અણસમજથી જે મત્સર પેદા થાય છે તેનો નાશ થાય તેવું પ્રયોજન પોતે કમ્યું છે. મને લાગે છે કે તેઓમાં તથા અમારા જેવા અનેકોમાં આ દષ્ટિનો ઉન્મેષ એ પૂ.આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂ.મ.સા.ની પ્રસાદી છે. આ પ્રસ્તાવના લખતાં સહજ એવું લખાઈ જાય છે કે આવા પૂ.હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના સંસ્કારોથી શું જૈન પરંપરામાં પ્રવર્તમાન ઘણાં વાદવિવાદોનો અંત ન આવી જાય ? “જરૂર આવી જાય........ મારે અને મારા જેવા ઘણા આત્માઓએ પોતાના અહંને સંક્ષેપીને અહં પદમાં એક થવું જ પડશે. આ ગ્રંથની રચનાનું આ એક સુંદર પ્રયોજન માત્ર મને નહીં પણ દર્શનશાસ્ત્રો પરના સર્વ અનાગ્રહી ચિંતકોને આકર્ષશે. દ્વત્રિશદ્ દ્વત્રિશિકા ગ્રંથનો પ્રસ્તુત પ્રથમ ભાગ પ્રથમની ચાર દ્વાત્રિશિકાઓની સ્વોપજ્ઞ ટીકા પર મુનિ યશોવિજયજીની “નયલતા” ટીકા અને મૂળ તથા સ્વોપજ્ઞ ટીકાના ભાષાંતર સહિત છે. પ્રતિપાદ્ય વિષય માટે વધુ શું લખવાનું હોય ? એમના આ ભાષાંતરથી પ્રતિપાદ્ય વિષય સ્પષ્ટ છે. છતાં ય નયલતા વ્યાખ્યામાં એક સ્થળે મને તેમની જે વિશિષ્ટ આત્મવિશ્વાસનિષ્ઠ પ્રતિભા દેખાય છે તેનું નિદર્શન કરીને હું અહીં પ્રસ્તાવના પૂર્ણ કરીશ. पृ.१८७ “वस्तुतस्तु तीर्थकरैः तीर्थस्थापनावसरे सुश्रावक-सुसाधुलक्षणौ द्वावेव मुख्यौ मोक्षमार्गों देशितौ, त्यक्तगृहवासस्य शुद्धयतिधर्मपालनाऽसमर्थस्य लिंगधारणाऽत्यन्तरक्ततया सशूकतया च लिंगत्यागेन संसारकान्तारप्रवेशोद्विग्नस्य सुसाधुमार्गोपबृंहकस्य संविग्नपाक्षिकस्य मार्गत्वोक्तिरापवादिक्येवेत्यस्माकमाभाति" ઉપદેશમાલાગ્રંથકાર કંઠતઃ સ્પષ્ટ સંવિગ્નપાક્ષિકત્વને પણ મોક્ષમાર્ગ કહે છે. છતાં ય ઉપરના લખાણ પ્રમાણે તેને આપવાદિક મોક્ષમાર્ગ કહેવાય એવો જે પોતાને ઉન્મેષ થાય છે તે સ્પષ્ટપણે જણાવ્યો છે. આ ઉન્મેષ ગ્રંથાંતરના અભ્યાસથી નિષ્પન્ન થતો આત્મવિશ્વાસ છે. જો કે આ આખો ય મુદો જુદી જુદી રીતે પણ વિચારી શકાય છે. છતાં ય પ્રત્યેક ગ્રંથકારે પોતાના ગ્રંથપરિશીલનથી પોતાને જે સ્પષ્ટ લાગ્યું હોય તે રજૂ કરવું જ જોઈએ. પાઠકો, આવી જ રીતે આ “નયેલતા' ટીકાનું અધ્યયન કરે અને ગ્રંથકાર મહોપાધ્યાયજી મ. તેમજ નયેલતાકાર મુનિ યશોવિજયજીનો પરિશ્રમ સફળ કરે. કેટલાંક નાના પ્રશ્નો અને કેટલીક નાની પરંપરાભેદને વિચારક મહામુનિઓ દૂર કરી સામૂહિક ચિંતન કરે તો જૈન શાસનની પ્રભાવનાનો સૂર્ય ઝગમગાયમાન થયા વિના ન રહે. શાસ્ત્રકારો કહે છે કે ભસ્મગ્રહની અસરથી મુક્ત થયેલું શાસન ઉદિત ઉદિત પૂજા સત્કારવાળું થશે. અમને આવા વચનોમાં આવા મુનિઓના પ્રયાસ દ્વારા શ્રદ્ધા વધતી જાય છે. આવી શ્રદ્ધા સફળ થાય. સહુ આત્માથી પરમાત્મા બને એ જ પ્રાર્થના... ૪ આચાર્ય પ્રેરણાતીર્થ - અમદાવાદ જેઠ વદ-૯, સોમવાર તા. ૨૩-૬-૨૦૦૩. વિજય રાજયશસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy