SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • પ્રસ્તાવના : પ્રસ્તુત ગ્રંથ “ત્રિશલાત્રિશિકા” એ પણ ઉપાયશોવિજયજી મ.સા.ની સુંદર કૃતિ છે. અને તેના પર તેઓશ્રીનું પોતાનું જ વિવેચન છે. તેઓશ્રીની જ ટીકા છે. આવી ટીકાને સ્વોપજ્ઞ ટીકા કહેવાતી હોય છે.આ સ્વોપજ્ઞ ટીકામાં પણ અનેક સ્થળે નવ્ય ન્યાયની વાતો દેખાય છે. આ જ ગ્રંથમાં (પૃ.૨૪૦) પૂ.ઉપાયશોવિજયજી મહારાજ ફરમાવે છે કે - "उपाधिसांकर्यस्य इव जातिसांकर्यस्यापि अदूषणत्वस्य त्वदीयैरेव व्यवस्थापितत्वात् ।" “પ્રાચીન ન્યાય જાતિસાર્થને દોષ માનતો હોવા છતાં નવ્ય ન્યાયના પ્રકાશક ચિંતકો જાતિસાર્યને દોષ માનતા નથી.” આવી રીતે નવ્ય ન્યાયના પદાર્થો પરનું ઉપા.મ.સા.નું ચિંતન નવ્ય ન્યાયના પ્રખર અભ્યાસ વિના પામી ન શકાય. માટે જ આપણે ત્યાં ઉપાધ્યાયજી મ.સા.ના કેટલાક ગ્રંથો આદરમય સ્થાન ધરાવતાં હોવા છતાં ય સહુના અભ્યાસ માટે સુગમ બનતા ન હતાં, આ ત્રુટિ શાસનના સર્વ હિતચિંતકોને સાલતી હશે તેમાં શંકા નથી. તેમાં ય અમારા પરમશ્રદ્ધેય પ્રખરન્યાયાભ્યાસી પૂ.આ.દેવ ભુવનભાનુસૂ.મ.સા.ને આ સ્થિતિ ખટકી જ હશે. તેથી જ તેઓએ પોતાના શિષ્ય પ્રશિષ્યોને નબન્યાયના અભ્યાસ તરફ વિશેષ રીતે વાળ્યા અને જૈન ન્યાયના ગ્રંથોના પ્રકાશન પર સવિશેષ ધ્યાન અપાવ્યું. આજથી થોડા વર્ષો પહેલાં જ્યારે અમે કાત્રિશત્ ત્રિશિકા પરની સ્વોપજ્ઞ ટીકા પર “નયલતા” નામની ટીકાની રચના કરનાર મુનિ શ્રી યશોવિજયજીનું નામ સાંભળ્યું ત્યારે અમને પણ આનંદ થયો હતો કે ઉપાયશોવિજયજી મ.સા.ના ગ્રંથો અને વિશિષ્ટ નવ્ય ન્યાયની શૈલીવાળા ગ્રંથોને સમજનાર અને સમજીને જનતા સમક્ષ રજૂ કરનાર કોઈ છે ! અને આ મુનિ વળી અમારા સ્નેહી મુનિ પં.વિશ્વકલ્યાણવિજયજીના જ શિષ્ય છે એ જાણીને પરમ હર્ષ થયો હતો. લગભગ ૨૦ વર્ષના નાના દીક્ષા પર્યાયમાં જ આવું અનુપમ લેખન કરનાર મુનિ માત્ર અમારા જ નહીં પણ સર્વના આદરપાત્ર બન્યા છે. એમની આ કાત્રિશિકાના પ્રકાશનના પૂર્વ સમયમાં અમદાવાદમાં-કોબામાં એમનો બે દિવસનો પરિચય થયો. જો કે તેમના ગ્રંથોથી તો તેમનો પરિચય હતો જ. પણ આ બે દિવસના પરિચયે હું ઘણું ઘણું નિરીક્ષણ કરી શક્યો. તેમની આવી પ્રજ્ઞા અને શ્રુતસાધના હોવા છતાં ય તેમના ત્યાગે-ત્યાગ પ્રતિના આદરે, વિનયભાવે અને ગુણાનુરાગે મને ખૂબ જ આકર્ષિત કર્યો છે. આ સ્થાન ગ્રંથકર્તાની સ્તુતિનું સ્થાન નથી પણ ગ્રંથકર્તાના હૃદયને હાર્દને પામ્યા સિવાય ગ્રંથનું હાર્દ પામી શકાતું નથી. માટે સહજતઃ અહીં આવું લખાઈ જાય છે. તીર્થપ્રભાવક પૂ.પા.ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજાની વિશાળ બહુશ્રુતતાની છાયા બાદ અમારો પોતાનો એવો અનુભવ છે કે ગ્રંથકારો ગમે તેટલા વિદ્વાનું હોય છે પણ તેમના સ્વભાવનો પડઘો તેમના સર્જનમાં પડે જ છે. પૂ.હરિભદ્રસૂ.મ.સા.ને આપણે જોયા નથી પણ નિશ્ચિત કહી શકીએ છીએ કે ખૂબ જ સમન્વય દૃષ્ટિ તેમના જીવનમાં વ્યાપેલી હતી. આવો જ કોઈ અનુભવ આ નવોદિત સિતારા માટે થયો છે કે તેમણે પણ સ્વદર્શનની સાથે સાથે પરદર્શનનો ખૂબ જ અભ્યાસ કર્યો છે.આ અભ્યાસ થયો તે કોઈ અકસ્માત નથી... માત્ર કોઈ કોર્સ નથી, સ્વભાવની સુંદરતાનું જ આ સુંદર પરિણામ છે. અને તેથી જ પોતે પોતાના આ ગ્રંથના મંગલાચરણમાં લખી શકયા છે કે.... परदर्शनसत्केषु सद्वचनेषु सर्वथा । स्वान्योमत्सरोच्छेदः परसाक्षिप्रयोजनम् ।। પોતે પરદર્શનનો અભ્યાસ કરીને જે જે પરદર્શનના પાઠો ટાંક્યા છે તેનાથી જૈન દર્શન અને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy