SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈન ધર્મ ૩. મિશ્ર ગુણસ્થાન–આ સ્થાનકમાં રહેલા જીવની સ્થિતિ વિચિત્ર હોય છે. વિચિત્ર એટલા માટે કે સત્ય પદાર્થ કે અસત્ય પદાર્થ બન્નેમાં તેનો સમાન ભાવ હોય છે. એટલે સત્ય તરફ તેને ન તે ચિ હોય છે અને અસત્ય તરફ ન અરુચિ હોય છે. જે માણસે એક વસ્તુને અનુભવ કર્યો, પરતુ બીજી વસ્તુ ઉપર તેને નથી શ્રદ્ધા કે નથી અશ્રદ્ધા. તેવી જ રીતે મિશ્ર ગુણસ્થાનકવાળા જીવ. સત્ય કે અસત્ય બને વસ્તુ ઉપર એને શ્રદ્ધા નથી દેતી. મતલબ કે તેને સત્યમાર્ગ તરફ ન રુચિ કે ન અરુચિ. સારાસારને વિચાર કરનારી વિવેકવૃત્તિને તેમાં અભાવ હોય છે. આમ હોવા છતાં, એક વખત આ જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી ચૂકેલે હેાય છે એટલે તેના ભવભ્રમણને કાળ નિશ્ચિત થઈ જાય છે. ૪. અવિરતિ સમ્યક્દષ્ટિ–વિરતિ એટલે વ્રત–ત્યાગ -નિયમ. ગૃહસ્થ અને સાધુઓને માટે દેશવિરતિ અને સર્વવિરતિ એવા બે ભેદ પહેલાં બતાવ્યા છે. આ વિરતિને સ્વીકાર કર્યા પહેલાં, જેને સમ્યત્વની પ્રાપ્તિ થાય છે, તે જીવ આ ગુણસ્થાનકમાં ગણાય છે. સમ્યક્ત્વ-સમ્યફદૃષ્ટિ યા સમતિ એની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. આ સ્થિતિમાં રહેલા જીવને તત્ત્વ સંબંધી શંકાને સ્થાન રહેલું નથી. સમદ્રષ્ટિ એ મેક્ષપ્રાપ્તિ માટે પહેલું પગથિયું છે. સમકિત વિનાનાં સર્વ ધર્માનુષ્ઠાને પ્રાયઃ નિષ્ફળ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy