________________
શરીર આપોઆપ વિસરાલ થઈ જાય અર્થાતુ કપૂરની જેમ ઊડી જાય તે વૈક્રિય શરીર. તેના બે પ્રકાર છે - (૧) ઉત્પન્ન થતાંની સાથે સ્વાભાવિકપણે જે મળે તે ઔપપાતિક વૈક્રિય શરીર. આ દેવ અને નારકીને હોય છે. (૨) તપ આદિ દ્વારા શક્તિ વિશેષથી પ્રાપ્ત થતું વૈક્રિય તે લબ્ધિપ્રત્યય વૈક્રિય શરીર. તે
મનુષ્ય અને તિર્યંચને પ્રાપ્ત થઈ શકે છે. ૧૨. આહારક શરીર : ચતુર્દશ પૂર્વધર મુનિ પોતાની શંકાનું
નિરાકરણ કરવા અથવા તીર્થકરનું ઐશ્વર્ય જોવા માટે લબ્ધિવિશેષથી એક હાથ પ્રમાણ અત્યંત જાજ્વલ્યમાન સ્ફટિક
સમાન વિશુદ્ધ જે શરીર બનાવે તે આહારક શરીર. ૧૩. તૈજસ શરીર : તેજ: પુદ્ગલોથી નિષ્પન્ન શરીર તૈજસ કહેવાય
છે. આ શરીર આહાર આદિને પચાવવાનું કારણ તથા તેજોમય
તેજોવેશ્યાનું પણ કારણ છે. ૧૪. કાર્પણ શરીર : કર્મ પુદગલોનું બનેલું શરીર તે કાર્મણ શરીર.
આત્માના પ્રદેશ સાથે લાગેલા અષ્ટકર્મના પુદ્ગલોનો સમૂહ તે
કાર્મણ શરીર. ૧૫. ઔદારિક અંગોપાંગ : જે કર્મના ઉદયથી ઔદારિકશરીર
પરિણત પુદ્ગલોથી અંગોપાંગ બને તે ઔદારિક અંગોપાંગ. ૧૭. વૈક્રિય અંગોપાંગ : જે કર્મના ઉદયથી વૈક્રિયશરીર પરિણત
પુદ્ગલોથી અંગોપાંગ બને તે વૈક્રિય અંગોપાંગ. ૧૭. આહારક અંગોપાંગ : જે કર્મના ઉદયથી આહારકશરીર
પરિણત પુદ્ગલોથી અંગોપાંગ બને તે આહારક અંગોપાંગ. ૧૮. વજઋષભનારાચ સિંહનન : વજ = ખીલી, ઋષભ = પાટો,
નારાચ = મર્કટબંધ. જેમાં બે લાંબા હાડકાને મજબૂત જોડાણ થયેલું હોય તે મર્કટબંધ અર્થાત્ નારાચ હોય તેની ઉપર પાટાની જેમ ગોળ હાડકું વીંટળાયેલું હોય તે ઋષભ અને તેના મધ્યમાં વધુ મજબૂતાઈ માટે ખીલીની જેમ એક હાડકું આરપાર ગયેલું હોય તે વજ. આવી અસ્થિસંરચનાને વજઋષભનારાચ સંઘયણ
કહેવાય છે. ૧૯. સમચતુરસસંસ્થાન : સમ=સમાન, ચતુર્ = ચાર, અસ=ખૂણા
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org