________________
છ દ્રવ્યમાં - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા છે, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળના પ્રદેશો અનંતા છે. છ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ દ્રવ્યો પ્રદેશસમૂહાત્મક હોવાથી અસ્તિકાય કહેવાય છે. જૈનદર્શનમાં આ પંચાસ્તિકાય અતિપ્રસિદ્ધ છે. કાળ દ્રવ્ય એક જ છે તેના પ્રદેશોનો સમૂહ ભેગો થતો નથી માટે કાળદ્રવ્ય અસ્તિકાય નથી.
છ દ્રવ્યમાં આકાશ દ્રવ્ય લોકાલોક વ્યાપ્ત છે, બાકીનાં પાંચ દ્રવ્યો લોકવ્યાપ્ત છે.
-
છ દ્રવ્યો સમસ્ત જગતમાં એક સમયે કેવી રીતે વ્યાપીને રહે ? એવી શંકાનું નિરાકરણ કરતાં બાલાવબોધકારે દૃષ્ટાંત આપ્યું છે કે - જેવી રીતે એક ગદીઆણા પારામાં ઔષધના પ્રભાવથી સો દિઆણા પ્રમાણ સોનું સમાઈ જાય તો પણ પારાના વજનમાં વધારો થતો નથી તેવી રીતે દ્રવ્યોની અરૂપિતાના કારણે દ્રવ્યો વિશ્વમાં એક સમયે એક સામટા વ્યાપીને રહી શકે છે.
ધર્માસ્તિકાય:
ધર્માસ્તિકાય એટલે ગતિનું સહાયક દ્રવ્ય. કોઈપણ વસ્તુ એક સ્થાનથી બીજા સ્થાન પર ગમનાગમન કરે તે ગતિતત્વના માધ્યમ દ્વારા જ થઈ શકે છે. જેમ માછલીમાં તરવાની શક્તિ સ્વાભાવિક હોય છે. છતાં તે પાણી વિના તરી શકતી નથી અર્થાત્ માછલીને તરવા માટે પાણીની અપેક્ષા છે, એ જ રીતે જીવ અને પુદ્ગલમાં ગમન કરવાની શક્તિ સ્વાભાવિક રહેલી છે પરંતુ ચલનસ્વભાવી ધર્માસ્તિકાયની સહાયતા વિના જીવ અને પુદ્ગલ સ્વયં ગતિ કરતા નથી. ક્રિયાશીલ એવા જીવ અને પુદ્ગલને ગતિ ક્રિયામાં મદદ કરનાર ધર્માસ્તિકાય છે. તે એક અખંડ દ્રવ્ય છે, ચૌદરાજલોક વ્યાપ્ત છે, અનાદિઅનંત, નિત્ય, અમૂર્ત અને અસંખ્યાત પ્રદેશોનો એક પુંજ છે.
અધર્માસ્તિકાય :
પ્રત્યેક વસ્તુની સ્થિરતાનું કારણ અધર્માસ્તિકાય છે. જો લોકમાં અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ન હોય તો જીવ અને પુદ્ગલોની અવિરામગતિ
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
ઉપ
For Private & Personal Use Only
www.jainelibrary.org