________________
ભાષા પર્યાપ્તિ :
જે શક્તિ વડે ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી અને ત્યાગ કરે તે ભાષાપર્યાપ્તિ. મનપર્યાપ્તિ :
મન યોગ્ય પગલોને ગ્રહણ કરી વિસર્જન કરવાની શક્તિ વિશેષ તે મનપર્યાપ્તિ.
સર્વજીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓને બાંધવાની શરૂઆત એક સાથે કરે છે. પરંતુ પૂર્ણાહુતિ જુદા જુદા સમયે કરે છે. તેમાં કયા જીવો કઈ પર્યાપ્તિ કેટલા સમયમાં નિષ્પન્ન કરે છે તે દર્શાવતાં બાલાવબોધકારે કહ્યું છે કે – વૈક્રિય શરીરધારી અને આહારક શરીરધારીઓને શરીરપર્યાપ્તિ એક અંતર્મુહૂર્તમાં નિષ્પન્ન થાય છે. અહીં આહારક શરીરધારીઓનો જ ઉલ્લેખ છે તે વિચારણીય છે. કારણ કે પ્રથમ કર્મગ્રંથની સ્વોપજ્ઞ ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિજીએ તે વિષયક ગાથા આપેલ છે કે –
_वेउव्विय पज्जत्ति सरीर अंतमुह सेस इगसमया ।
आहारे इगसमया सेसा अंतमुहु ओराले । . અર્થ : વૈક્રિય શરીરધારીઓને શરીરપર્યાપ્તિ આંતર્મુહૂર્તિકી અને બાકીની પાંચ પર્યાપ્તિ એક સામયિકી હોય છે. ઔદારિક શરીરવાળાને આહારપર્યાપ્તિ એક સામયિકી અને બાકીની પાંચ આંતર્મહુર્તિકી હોય છે.
ઉત્પત્તિના એક અંતર્મુહૂર્તના સમય સુધી સર્વ જીવો અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે, ત્યાર પછી કેટલાક જીવો અપર્યાપ્તરૂપે મરણ પામે છે અને કેટલાક જીવો પોતાની પર્યાપ્તિ પૂર્ણ કરે છે. જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે નહિ અને મરણ પામે તે અપર્યાપ્ત અને જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત.
અપર્યાપ્ત અને પર્યાપ્ત બંને પ્રકારના જીવોના બે બે પ્રકાર છે. અપર્યાપ્ત જીવોના લબ્ધિઅપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એ બે પ્રકાર છે. લબ્ધિ અપર્યાપ્ત ઃ
જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલા જ મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય.
જ્યાં સુધી પ્રથમ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરભવનું
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org