SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ૪. ૬. ૭. ૮. ૯. મૈથુન સંજ્ઞા : પુરુષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયથી કામભોગની જે અભિલાષા તે મૈથુનસંજ્ઞા. પરિગ્રહસંજ્ઞા : તીવ્રલોભના ઉદયથી પરિગ્રહની જે અભિલાષા, લોભના વિપાકોદયથી મૂર્છા પરિણામ ઉત્પન્ન થાય તે પરિગ્રહ સંજ્ઞા. ક્રોધ સંજ્ઞા : ક્રોધમોહનીયના ઉદયથી આવેશ ઉત્પન્ન થવાથી કઠોર હાવભાવ, ચેષ્ટા, અંગો ધ્રૂજવા વગેરે પરિણામ જણાય તે ક્રોધસંજ્ઞા. માનસંશા માનમોહનીયના ઉદયથી અહંકાર, ગર્વ આદિ પરિણામ જણાય તે માનસંજ્ઞા. માયા સંજ્ઞા : માયામોહનીયના ઉદયથી અશુભ સંકલેશથી મિથ્યાભાષણ વગેરે ક્રિયા જેનાથી જણાય તે માયાસંજ્ઞા. લોભસંજ્ઞા : લોભ મોહનીયના ઉદયથી લાલસાથી સચિત્ત, અચિત્ત વગેરે પદાર્થોની ઝંખના જેના દ્વારા જણાય તે લોભસંજ્ઞા. લોક સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી વિશેષ અવબોધ (જાણવાની) ક્રિયા તે લોકસંજ્ઞા. ૧૦. ઓઘ સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સામાન્ય જાણવાની ક્રિયા તે ઓઘસંજ્ઞા. ૧૧. સુખ સંજ્ઞા : શાતાવેદનીયના ઉદયથી જે સુખની અનુભૂતિ થાય તે સુખ સંજ્ઞા. ૧૨. દુઃખ સંજ્ઞા : અશાતાવેદનીયના ઉદયથી જે દુઃખની અનુભૂતિ થાય તે દુઃખ સંજ્ઞા. ૧૩. મોહ સંજ્ઞા : દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાદર્શન રૂપ જે જણાય તે મોહસંજ્ઞા. ૧૪. વિતિગિચ્છા સંજ્ઞા : મોહનીયના ઉદયથી ચિત્તભ્રમતા જણાય તે વિતિગિચ્છા સંજ્ઞા. ૧૫. શોક સંજ્ઞા : શોકમોહનીયના ઉદયથી દુ:ખની લાગણી, આઘાત અનુભવાય તે શોકસંજ્ઞા Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy