________________
૩.
૪.
૬.
૭.
૮.
૯.
મૈથુન સંજ્ઞા : પુરુષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયથી કામભોગની જે અભિલાષા તે મૈથુનસંજ્ઞા.
પરિગ્રહસંજ્ઞા : તીવ્રલોભના ઉદયથી પરિગ્રહની જે અભિલાષા, લોભના વિપાકોદયથી મૂર્છા પરિણામ ઉત્પન્ન થાય તે પરિગ્રહ સંજ્ઞા. ક્રોધ સંજ્ઞા : ક્રોધમોહનીયના ઉદયથી આવેશ ઉત્પન્ન થવાથી કઠોર હાવભાવ, ચેષ્ટા, અંગો ધ્રૂજવા વગેરે પરિણામ જણાય તે ક્રોધસંજ્ઞા. માનસંશા માનમોહનીયના ઉદયથી અહંકાર, ગર્વ આદિ પરિણામ જણાય તે માનસંજ્ઞા.
માયા સંજ્ઞા : માયામોહનીયના ઉદયથી અશુભ સંકલેશથી મિથ્યાભાષણ વગેરે ક્રિયા જેનાથી જણાય તે માયાસંજ્ઞા.
લોભસંજ્ઞા : લોભ મોહનીયના ઉદયથી લાલસાથી સચિત્ત, અચિત્ત વગેરે પદાર્થોની ઝંખના જેના દ્વારા જણાય તે લોભસંજ્ઞા.
લોક સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી વિશેષ અવબોધ (જાણવાની) ક્રિયા તે લોકસંજ્ઞા.
૧૦. ઓઘ સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સામાન્ય જાણવાની ક્રિયા તે ઓઘસંજ્ઞા.
૧૧. સુખ સંજ્ઞા : શાતાવેદનીયના ઉદયથી જે સુખની અનુભૂતિ થાય તે સુખ
સંજ્ઞા.
૧૨. દુઃખ સંજ્ઞા : અશાતાવેદનીયના ઉદયથી જે દુઃખની અનુભૂતિ થાય તે દુઃખ સંજ્ઞા.
૧૩. મોહ સંજ્ઞા : દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાદર્શન રૂપ જે જણાય તે મોહસંજ્ઞા.
૧૪. વિતિગિચ્છા સંજ્ઞા : મોહનીયના ઉદયથી ચિત્તભ્રમતા જણાય તે વિતિગિચ્છા સંજ્ઞા.
૧૫. શોક સંજ્ઞા : શોકમોહનીયના ઉદયથી દુ:ખની લાગણી, આઘાત અનુભવાય તે શોકસંજ્ઞા
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
પર
For Private & Personal Use Only
www.jainelibrary.org