________________
સંસ્કૃત ગુજરાતી વગેરેમાં વિવરણ સાહિત્ય રચ્યું છે.
દેવગુપ્તાચાર્યના નવતત્ત્વ ઉપર અભયદેવસૂરિનું “ભાષ્ય.” ૨. અજ્ઞાતકર્તક નવતત્ત્વ પ્રકરણ ઉપર ચિરંતનાચાર્યની “અવચૂર્ણિ.” ૩. સાધુરત્નસૂરિ કૃત “અવચૂર્ણિ” ૪. દેવેન્દ્રસૂરિ નિર્મિત “વૃત્તિ'
૫. શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ શિષ્ય ઉપા. ઉદયવિજયગણિ વિરચિત “બૃહવૃત્તિ
૬. નવતત્ત્વ પ્રકરણ ઉપર વિજયધર્મસૂરિ વિરચિત “સુમંગલાટીકા'
જૈનદર્શનમાં નવતત્ત્વના તાત્વિક મૂલ્યનો પ્રભાવ એટલો બધો છે કે જૈનાચાર્યોએ સમયે સમયે નવતત્ત્વનું વર્ણન કરતું સાહિત્ય સર્યું છે. મધ્યકાલમાં જ્યારે ગુજરાતી ભાષા સાહિત્યસર્જનનું માધ્યમ બની ત્યારે બીજા વિવિધ વિષયોની જેમ જૈનાચાર્યોએ નવતત્ત્વ વિષયક રાસાઓ, ચોપાઈ, સ્તવન, બાલાવબોધો વગેરેની પણ રચના કરી છે.
(લે. સં. ૧૫૭૩માં સોમસુંદરસૂરિ તપા.) બાલાવબોધની રચના કરી.
(સં. ૧૭૬૬ પાટણમાં ભાગ્યવિજય તપા.) ૧૯૮ કડી પ્રમાણ નવતત્ત્વ સ્તવન રચ્યું છે.
(સં. ૧૮૭૨ દમણમાં વિવેકવિજય તપા.) ઢાલ-૧૧, દુહા-૧૪, ૯૮ કડી પ્રમાણ નવતત્ત્વ સ્તવનની રચના કરી.
(સં. ૧૮૬૧માં જ્ઞાનસારમુનિ ખરતર.) ૩૩ કડી પ્રમાણ ભાષા નવતત્ત્વ પ્રકરણની રચના કરી.
આમ નવતત્ત્વના વિષયમાં પ્રાચીન-અર્વાચીન સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું મળે છે. નવતત્ત્વ ઉપર વિવિધ બાલાવબોધો :
મધ્યકાલીન ગુજરાતીમાં “નવતત્ત્વ પ્રકરણ' ઉપર સંખ્યાબંધ બાલાવબોધો જુદા જુદા સમયે રચાયેલા મળે છે. તેમાંથી અગત્યના બાલાવબોધોની યાદી નીચે પ્રમાણે છે. ૧. નવતત્ત્વ વિવરણ બાલાવબોધ : કર્તા - શ્રી સાધુરત્નસૂરિ, ૨. સં.
નવતત્વ પ્રકરણ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org