________________
વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાનો વિકાસકાળ ત્રણ યુગમાં વિભક્ત થાય છે.
પહેલો યુગ : દસમા-અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીનો કાળ તે પ્રાચીન ગુજરાતી ભાષાયુગ.
હેમચંદ્રાચાર્યજીએ (ઈ. સ. ૧૦૮૮-૧૧૭૨) સિદ્ધહૈમવ્યાકરણમાં અપભ્રંશના વ્યાકરણમાં જે દુહાઓ ઉદાહરણ અર્થે પ્રયોજ્યા છે તે ભાષાને પશ્ચિમી વિદ્વાન ગ્રિયર્સન અને ભારતીય વિદ્વાન કે. હ. ધ્રુવ પ્રાચીન ગુજરાતી તરીકે ઓળખાવે છે. અપભ્રંશોત્તર ભાષા પ્રાદેશિક લઢણ સાથે છેક મથુરાથી દ્વારકા સુધી પ્રચલનમાં હતી. ડૉ. તેસિતોરી તેને પ્રાચીન રાજસ્થાની ભાષા ગણાવે છે. શ્રી કે. હ. ધ્રુવ તેને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી કહે છે. શ્રી નરસિંહરાવ દિવેટિયા તેને અંતિમ અપભ્રંશ કે ગુર્જર અપભ્રંશ તરીકે ઓળખાવે છે. શ્રી ઉમાશંકર જોશીએ તેને મારુ-ગુર્જર તરીકે સંબોધી છે. કે. કા. શાસ્ત્રી તેને ગુર્જરભાષા કે જૂની ગુજરાતી તરીકે ઉલ્લેખે છે.
બીજો યુગ : પંદરમા શતકથી સત્તરમા શતકના પૂર્વાર્ધ સુધીનો ભાષાકાળ તે જૂની ગુજરાતી . મધ્યકાલીન ગુજરાતી ભાષાયુગ.
ઈ. સ. ૧૨૯૭માં અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું અને ગુજરાતની રાજધાની પાટણને જીતી લીધી ત્યારથી ગુજરાતમાં મુસ્લિમ રાજ્યનાં મંડાણ થયાં અને તે સમયથી ગુજરાત-રાજસ્થાનના સંબંધમાં ઓછપ આવી. સંપર્ક તૂટતો ગયો. ઈ. સ. ૧૪૦૭માં ગુજરાત સ્વતંત્ર સલ્તનત બન્યું, દિલ્હી સાથેનો તેનો સંબંધ પણ કપાઈ ગયો અને ગુજરાતી ભાષા તથા રાજસ્થાની ભાષાને છેટું પડવા લાગ્યું. ઈ. સ. ૧૪૧૧માં ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ આવી. ગુજરાત રાજ્ય મુસલમાન સત્તાના અમલ નીચે આવ્યું. તેના કારણે મુસલમાન સંપર્ક વધવાથી ગુજરાતી ભાષામાં અરબી, ફારસી અને તુર્કી શબ્દોનો પેસારો શરૂ થયો. આ મુસ્લિમ શાસનના પ્રારંભકાળમાં પ્રજા ક્ષુબ્ધ બની ગઈ પરંતુ થોડા સમયમાં નવા શાસકોની નીતિ-રીતિને સ્વીકારી લઈને પ્રજા ધીરે ધીરે પૂર્વવત્ સ્વસ્થ બની ગઈ. આ બાહ્ય પ્રતિકૂળ સંયોગોમાં જ ગુજરાતી ભાષાના વિકાસને માટે અનુકૂળ સમય પ્રાપ્ત થયો. આ સમય દરમ્યાન ગુજરાતી ભાષામાં સારું એવું સાહિત્ય સર્જન પામ્યું.
ઈ. સ. પંદરમી સદીના આરંભમાં ગુજરાતી
રાજસ્થાની જૂથમાંથી
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org