________________
નિર્જરાના મુખ્ય બે પ્રકાર છે. (૧) સકામ = ઇચ્છાસહિત. જ્ઞાનપૂર્વક, સ્વેચ્છાએ તપ આદિ ક્રિયાઓ દ્વારા કર્મદલિકોને નષ્ટ કરવા તે સકામ નિર્જરા. (૨) અકામ = ઇચ્છા રહિત-કામના રહિત. અજ્ઞાનપૂર્વક પરાધીનપણે અનિચ્છાએ ભૂખ, તરસ આદિ દુ:ખો સહન કરવાં, ઘોર કષ્ટ સહન કરવાં તે અકામનિર્જરા.
તે નિર્જરાતત્ત્વપૂર્ણ છે
બંધતત્ત્વ બંધ=બંધન. આત્મા અને કર્મપરમાણુઓનું જે બંધન તે બંધ કહેવાય. કાષાયિક વિકૃતિથી આકર્ષિત થતાં કર્મપુદ્ગલો અને આત્મપ્રદેશોનો જે સંબંધ તે બંધ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે
૧. પ્રકૃતિ બંધ : પ્રકૃતિ=સ્વભાવ. આત્મા જ્યારે કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે ત્યારે તે પુગલો એકરૂપ હોય છે પરંતુ બંધસમયે તે ભિન્નભિન્ન આત્મગુણોને રોકવાના સ્વભાવવાળા થઈ જાય છે. તેને પ્રકૃતિબંધ કહે છે. જે રીતે વાત, પિત્ત, કફનાશક વસ્તુઓ દ્વારા નિર્મિત મોદક પોતાના સ્વભાવ અનુસાર વાયુ, પિત્ત, કફનો નાશ કરે છે, તેવી રીતે આત્મા દ્વારા ગૃહીત કર્મપુદ્ગલોમાંથી કોઈ આત્માના જ્ઞાન, દર્શન આદિનું આચ્છાદન કરે છે તો કોઈ આત્માના અનંત સામર્થ્યને દબાવે છે તે પ્રકૃતિ બંધ. ૨. સ્થિતિબંધ : સ્થિતિ=સમય મર્યાદા. બંધાયેલા કર્મદલિકો આત્માની સાથે જેટલો સમય રહે તે કાલનિર્ધારણને સ્થિતિબંધ કહે છે. જેમ કોઈ મોદક એક સપ્તાહ, કોઈ એકપક્ષ તો કોઈ માસ સુધી સારો રહે છે પછી વિકૃત થઈ જાય છે તેમ કોઈ કર્મ આત્મા સાથે અંતર્મુહૂર્ત સધી તો કોઈ વસ, ત્રીસ કે સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ સુધી રહે છે આ કાલમર્યાદા તે સ્થિતિબંધ. ૩. અનુભાગબંધ : અનુભાગ=રસ. આત્મ પરિણામોની તીવ્રતામંદતાને અનુરૂપ કર્મબંધમાં તીવ્રરસ, મંદરસનો જે અનુભવ થાય તેને અનુભાગબંધ કહે છે.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org