________________
પ્રેરણારૂપ જ્ઞાનયાત્રા
પરમ પૂજ્ય સાધ્વી વિસ્તીર્ણાજીના ધર્મ અને સાહિત્યના અભ્યાસમાં સંસ્થા રૂપે એમ.પી. આર્ટ્સ કોલેજ નિમિત્તરૂપ બની તેનો આનંદ અનુભવું છે. પૂ. સાધ્વીજીએ જૈન તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો વિચાર કર્યો. આવો વિચાર કરવો તે પણ સાહસ ગણાય. કારણ કે એ સમયે તેઓ એસ.એસ.સી. પણ પાસ નહોતા. આ સમયે સાધ્વીજીને જાગૃતિબહેન મળ્યા અને એમણે એમ કહ્યું કે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા આપવાથી એફ. વાય. બી.એ.માં એડમિશન મળે છે. સાધ્વીશ્રીને માટે જ્ઞાનપ્રાપ્તિની નવી ક્ષિતિજ ઉઘડી ગઈ ! તેઓ નવા વાડજથી વિહાર કરીને રાયપુરમાં આવેલી એમ.પી. આર્ટ્સ કૉલેજમાં આવ્યા. આ સમયે કૉલેજના તે સમયના આચાર્ય શ્રી ચતુરભાઈ પટેલ બહાર ગયા હતા, પ્રિન્સિપાલ શ્રી ચતુરભાઈ પટેલ આવ્યા અને એમણે જાણ્યું કે એક સાધ્વીશ્રી તેઓને મળવા આવ્યા હતા એટલે તેઓ જાતે સાધ્વીશ્રીને મળવા દોડી આવ્યા.
આ ઘટનાથી સાધ્વીશ્રીના અભ્યાસનો પ્રારંભ થયો અને ૧૯૯૩માં એમણે બી.એ.ની પદવી મેળવી. ૧૯૯૬માં એમ.એ. થયા અને ત્યારબાદ ૧૯૯૯માં પીએચ.ડી.ની પદવી માટેનું ફોર્મ ભર્યું. તત્ત્વજ્ઞાનમાં રુચિ અને સાહિત્યનો વિષય - આ બંનેનો સંયોગ મુશ્કેલ ગણાય, પણ આ બંને ક્ષેત્રોમાં વિદ્વાન એવા સાહિત્યકાર અને જૈનદર્શનના ચિંતક ડો. કુમારપાળ દેસાઈ તેઓને પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે મળ્યા, તે સુભગ સંયોગ ગણાય. સાધ્વીશ્રીએ એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી એટલું જ નહિ, કિંતુ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરનાર પ્રથમ સાધ્વી બન્યા છે. એમ.પી. આર્ટ્સ કૉલેજના પૂર્વ આચાર્ય તરીકે આનું હું ગૌરવ અનુભવું છું અને સાધ્વીજીની આ જ્ઞાનયાત્રા સૌને પ્રેરણારૂપ બનશે તેમ નિશંક પણે માનું છું. પૂ. સાધ્વીજીનાં ચરણોમાં વંદના કરીને એમના વિદ્યાતપમાં મને અને મારી સંસ્થાને નિમિત્ત બનાવવા માટે ઉપકારનો ભાવ અનુભવું છું.
પ્રિ. શ્રી એસ. એન. સંઘવી
પૂર્વ આચાર્ય એમ.પીઆર્ટ્સ ઍન્ડ એમ. એચ. કૉમર્સ કૉલેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org