________________
તેમણે કહ્યું, “આનું પ્રમાણ?” “પ્રમાણ જોવા માટે પાત્ર મગાવો.”
સંકેત થયો કે પાત્ર હાજર થયું. બ્રાહ્મણે કહ્યું, “આ પાત્રમાં ઘૂંકો રાજન ' ચક્રવર્તી સૂચના મુજબ ઘૂંક્યા. બ્રાહ્મણે કહ્યું, “ધ્યાનથી જુઓ રાજન ! આમાં આપને શું જણાય છે રાજન!?' - સનકુમારે જોયું તો ઘૂંકમાં કીડા હતા. સનકુમારનો અહંકાર ચૂર-ચૂર થઈ ગયો. એણે બ્રાહ્મણના પગ પકડી લીધા.
અહંકાર પણ રોગ પેદા કરે છે. ક્રોધ કરનારને ખબર નથી હોતી કે તે ક્રોધ નથી કરી રહ્યો પણ નવા રોગને જન્મ આપી રહ્યો છે. અહંકાર કરનાર સમજી શકતો નથી કે અહંકાર દ્વારા એ કેટલું મોટું નુકસાન કરે છે.
માયા અને છળ-કપટ પણ રોગનું મોટું કારણ બને છે. આજે તનાવ શબ્દ અને રોગ બંને ખૂબ પ્રચલિત છે. આ તનાવ ઘણા પ્રકારની ખરાબી અને રોગ પેદા કરે છે. તનાવ ભય પેદા કરે છે. લોભમાં ભય વિદ્યમાન છે. માણસ જેમજેમ ધન કમાઈ લે છે અને તેના ચિત્તમાં ભય ઘર કરી જાય છે કે કમાયેલું ધન ક્યાંય જતું ન રહે. એને એ ભાન નથી રહેતું કે શરીર જ જતું રહેવાનું છે તો પછી ધન ક્યાં અશ્રુષ્ણ રહી શકે છે. શી ખબર લોભનો આ તે કેવો આવે છે કે મરણ નિશ્ચિત છે એ ખબર હોવા છતાં માણસ ખુદને અમર માનીને ચાલે છે.
લોભ અનેક બીમારીઓનું કારણ છે, જનક છે. આજકાલ લોહીના ઊંચા દબાણની વ્યાધિથી ઘણા પીડાય છે. એનું કારણ છે લોભની વૃત્તિ. રોગનાં કારણો પર વિચાર થવો જોઈએ કે રોગ કેમ વધે છે. આજકાલ તો નવા પ્રકારની બીમારીઓ જન્મે છે. પૂર્વે કદી જોવામાં ન આવ્યા હોય એવા રોગો અસ્તિત્વમાં આવ્યા છે. બીમારીઓ વધવાનું કારણ શું છે? જ્યાં સુધી આના પર વિચાર નહિ થાય સમસ્યાનું સમાધાન નહિ થાય. આપણે ભીતર તરફ જોઈને રોગનાં કારણો જાણવાના છે. અગર ભીતર જઈને જોઈશું તો જણાશે કે બીમારીનું કારણ છે કષાય. કષાયમાં ક્રોધ, માન, માયા, લોભ - ચારેય આવે છે. આ ચારેય વિષે તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરીએ તો જણાશે કે બીમારીનું મોટું કારણ છે
મહપજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org