________________
૨૨ સુખાયુનાં લક્ષણ
ધર્મગ્રંથોમાં અને સામાજિક ગ્રંથોમાં માણસ વિષે ખૂબ વિચાર થયો છે. માણસ વિષે વિચાર થાય ત્યારે આયુષ્ય વિષે વિચાર કરવો આવશ્યક છે. મનુષ્યનું આયુષ્ય, તેનું જીવન કેવું છે, એના પર વિચાર થયો. ઉત્તરાધ્યયનમાં કહેવાયું છે. “ચાર વસ્તુ દુર્લભ છે, એમાં મનુષ્ય જીવન દુર્લભ છે.' એનું તાત્પર્ય એ છે કે સુખાયુ દુર્લભ છે અને હિતાયુ વિશેષ દુર્લભ છે. જીવનના બે પક્ષ છે- સુખાયુ અને હિતાયું. સુખાયુનો સંબંધ આપણા પૌદ્ગલિક શરીરની સાથે છે. ઇન્દ્રિયોની સાથે છે, વ્યક્તિના પુરુષાર્થની સાથે છે અને સુખ-સુવિધા ભોગવવાની સાથે છે. જીવન જયાં સુખપૂર્વક ચાલે, કોઈ અવરોધ ન આવે, એ સુખાયુ જીવન છે. આયુર્વેદના ગ્રંથોમાં સુખાયુ અને હિતાયુ પર ઘણો વિમર્શ થયો છે. સુખાયુનાં જે લક્ષણ બતાવ્યાં છે એ ધ્યાન આપવા યોગ્ય છે.
સુખાયુનું પ્રથમ લક્ષણ છે શરીર અને મન સ્વસ્થ હોય. રોગમુક્ત હોય, ન શારીરિક રોગ, ન માનસિક રોગ. એની સાથે આપણે એક શબ્દ જોડી દઈએ કે ભાવાત્મક રોગ પણ ન હોય. ભાવાત્મકતા વાળી વાત હિતાયુ માટે સારી ગણાય. રોગ એક દુઃખ છે. દુઃખી થવાના ઘણા કારણોમાં એક કારણ છે રોગ. એક રુગ્ણ માણસ અસહ્ય દુઃખનો
મતપ્રજ્ઞ વાણી - ૬
૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org