________________
પીપલ્સ વૉર સૂપ, ઉલ્ફા, બોડો જેવાં સંગઠનોના અત્યાર સુધી કેટલાય ઉગ્રવાદી લોકો મરી ચૂક્યા છે પણ આ સંગઠનોનું અસ્તિત્વ હજી સુધી છવાયેલું છે, બલ્ક વધી રહ્યું છે. એક મરે છે અને બે-ત્રણ બીજા ભરતી થાય છે. આખરે અંત ક્યારે? તર્કશાસ્ત્રમાં એક શબ્દ છે અનવસ્થા, જેનો કોઈ અંત નથી, અનલિમિટેડ આ ઉગ્રવાદી, આતંકવાદી પણ અનલિમિટેડ છે.
મેં અનુભવ કર્યો કે આ ઉગ્રવાદી, અતિવાદી સંગઠનોને ન તો પોલીસદળ રોકી શકે છે, ન તો સશસ્ત્ર-બળ અને ન તો સેના રોકી શકે છે. જ્યાં સુધી એમના સ્રોત વિદ્યમાન છે, એનાં કારણો મોજૂદ છે, ત્યાં સુધી એમની ગતિવિધિઓ ચાલુ રહેશે. આપણે સ્રોત પર વિચાર કરીએ અને એને બંધ કરવાનો પ્રયત્ન કરીએ. સાંપ્રદાયિક ઉન્માદનું રૂપ અમે બહુ નજીકથી જોયું છે. મને વિશ્વાસ છે કે સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ અગર નિઃસ્વાર્થ ભાવે બનાવવામાં આવે તો હિંસક સંગઠનો જે આવા અવસરો માટે તૈયાર જ હોય છે એમને નિષ્ક્રિય કરી શકાય છે. અમે મહારાષ્ટ્રની યાત્રા કરી રહ્યા હતા. એક એવા ગામમાં પહોંચ્યા જે શિક્ષણનું સારું કેન્દ્ર છે. એક કોલેજના થોડા પ્રોફેસર મારી પાસે આવ્યા. એમણે કહ્યું, “આચાર્યજી !' આપનું અને હાર્દિક સ્વાગત કરીએ છીએ પણ અહીં સમસ્યા છે કે એક વર્ષમાં ત્રણ વખત કોમી તોફાન થઈ ચૂક્યાં છે. વળી પાછાં તોફાનોની તૈયાર થઈ ચૂકી છે. પ્રશાસનને પણ આ વાતની જાણ થઈ ગઈ છે. પોલીસબળ તૈયાર છે, પણ એમ લાગે છે કે તોફાન તો થશે જ.
અમે એમની વાત સાંભળી. અમારે આગળના ગામ જવાનું હતું પણ એમની વાત સાંભળી ત્યાં રોકાઈ ગયા. ગામનાં બંને જૂથોના મુખ્ય માણસોને બોલાવ્યા. એમની સાથે વાતો કરી. હિન્દુ અને મુસલમાન બંને પક્ષના લોકોને અમે તોફાનો અને તેનાં પરિણામો વિષે અવગત કરાવ્યા. એમની અંદર સહમતિનું વાતાવરણ નિર્માણ થયું છે. એવો ભરોસો અમને થયો પછી આપણા એક મુનિને ત્યાં મૂકીને અમે આગળના ગામ ગયા. બે કલાક પછી અમે જયાં રોકાયા હતા ત્યાં બસો માણસ અમારી પાસે આવ્યા અને બોલ્યા, “અમે પરસ્પર સમજૂતી કરી લીધી છે. અમે આપને વિશ્વાસ આપીએ છીએ કે હવે અમારા
૧૭૬
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org