________________
૨૦
દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ
અહિંસાયાત્રાને ચાર વર્ષ થઈ ગયાં. આજે અમે દિલ્હી પહોંચ્યા છીએ. દિલ્હીમાં તો મોટા લોકો રહે છે, એમનું ધ્યાન એક સાધારણ વાત પ્રત્યે દોરીશ. એક વ્યક્તિ વૈદ્યની પાસે આવ્યો અને બોલ્યો, “મને જુકામ છે, કોઈ દવા આપો.”
વૈદ્ય કહ્યું, “તમે યોગ્ય જગ્યાએ આવ્યા નથી. હું કોઈ સાધારણ વૈદ્ય નથી. હું માત્ર મહાબીમારીઓનો જ ઇલાજ કરું છું. જુકામ જેવી સાધારણ બીમારી માટે તારે કોઈ સાધારણ ડૉક્ટર પાસે જવું જોઈએ. ગામમાં એવા ઘણાં ડૉક્ટર મળી જશે. તમે ત્યાં જાવ અને એકાદ ગોળી લઈ લો. મારી પાસે સાધારણ રોગો માટે કોઈ દવા નથી.
રોગીએ ખૂબ વિનંતી કરી. વૈદ્ય કહ્યું, “એક વિકલ્પ છે. તને અત્યારે જુકામ છે, તું જુકામને બદલે ન્યુમોનિયાગ્રસ્ત થઈ જા. હું ન્યુમોનિયાનો ઇલાજ કરીશ.”
રોગીને વૈદ્યની વાત સમજાણી નહીં. એ બોલ્યો, વૈઘજી, જુકામને ન્યુમોનિયામાં કઈ રીતે બદલી શકાય?”
વૈદ્ય કહ્યું, “સાવ સીધી વાત છે. આ ગામની બહાર એક તળાવ છે. વહેલી સવારે જાગીને તળાવના ઠંડા
પાણીમાં બે-ત્રણ ડૂબકી લગાવ. બસ ન્યુમોનિયા તૈયાર. દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org