________________
તેઓ બોલ્યા, “આચાર્યજી! ત્યાં જે જોયું તે આશ્ચર્યચકિત કરે તેવું છે. ચીન આજે ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહેલો દેશ છે. છેલ્લાં દસ-બાર વર્ષોમાં ચીને અભૂતપૂર્વ કહી શકાય એવી પ્રગતિ કરી છે. એનું એક માત્ર કારણ છે ત્યાંના લોકોમાં ડિસિપ્લિન અને દઢ ઈચ્છાશક્તિ. આ બાબતોનો આપણે ત્યાં અભાવ છે.”
આચાર્ય તુલસીને યાદ કરીએ તો એક સંકલ્પની સાથે યાદ કરીએ. એ સંકલ્પ એવો હોય કે હું મારા જીવનમાં નૈતિકતાને અને પ્રામાણિકતાને સર્વોચ્ચ સ્થાન આપીશ. હું મારા જીવનમાં અધિકાધિક અનુશાસન વિકસાવીશ. આપ આજે જ આવો સંકલ્પ કરો અને જુઓ કે થોડા દિવસોમાં જ કેવું ગુણાત્મક પરિવર્તન મોટા લોકોમાં આવે અને નાના લોકો સુધી પહોંચે. આચાર્ય તુલસીના એક વાક્યને આપ પોતાના જીવનમાં સૂત્ર તરીકે અપનાવો - “નિજ પર શાસન, ફિર અનુશાસન મોટા ગણાતા લોકો અસંયમી અવિવેકી બનીને નાના લોકો પર શાસન કરે એ સંભવ નથી.
આજની સમસ્યાઓના સંદર્ભમાં આપણે આચાર્ય તુલસીને વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. એમની જે અંતદષ્ટિ હતી, એમનું જે વિઝન હતું, એમણે જે જોયું અને કહ્યું, એને સમજવાનો અને જાણવાનો પ્રયાસ થાય તો કદાચ સમાજ-પરિવર્તનની દિશામાં ઘણું થઈ શકે. એમની પુણ્યતિથિનો આ દિવસ માત્ર સ્મૃતિદિન તરીકે જ ન ઊજવાય પણ સંકલ્પનો દિવસ બનાવીએ.
નરેશજી અને સુરેશજી જૈનના પરિવારે બહુ મોટું વિદ્યાલય અને પ્રેક્ષાધ્યાન જીવનવિજ્ઞાન કેન્દ્ર અહીં ખોલ્યું છે. આચાર્ય તુલસીની સ્મૃતિમાં આ સંકલ્પની વ્યાપક અને સાર્થક પ્રસ્તુતિ છે. અહીંથી પ્રેક્ષાધ્યાનના જે પ્રશિક્ષક તૈયાર થશે, તેઓ પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પ્રચાર-પ્રસારમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે. અહિંસા પ્રશિક્ષણનો પ્રકલ્પ પણ અહીંથી શરૂ થાય. આજે દેશમાં અહિંસા પ્રશિક્ષણના લગભગ પચાસ જેટલાં કેન્દ્રો એવા પ્રદેશોમાં ચાલે છે જયાં હિંસાની સમસ્યા ખૂબ વ્યાપક છે.
આચાર્ય તુલસીનું સ્મરણ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org