________________
આચાર્ય તુલસીએ અણુવ્રતના માધ્યમથી આ સ્થિતિને બદલવાનું દર્શન પ્રસ્તુત કર્યું. આજે એ તુલસી-દર્શન પ્રસ્તુત છે. આજે તેની સર્વાધિક ઉપયોગિતા છે. રાષ્ટ્રપતિજી અબ્દુલ કલામે કહ્યું, સન ૨૦૨૦ સુધી હિન્દુસ્તાનને વિશ્વનું પ્રથમ કક્ષાનું શક્તિશાળી રાષ્ટ્ર બનાવવું છે.' મેં કહ્યું, ‘આપનું સપનું સાકાર થાય. આ અમારી પણ ઇચ્છા છે અને અમારો સહયોગ, શુભકામના આપની સાથે છે. પણ આજની અર્થનીતિ અને પ્રચલિત ધર્મની ધારણાઓ દ્વારા આ સંભવ લાગતું નથી. એના માટે એક નવા દર્શનની જરૂરત છે. એવું દર્શન જે પરિવર્તન લાવી શકે.'
આજે ધાર્મિક લોકોની મનોદશા કેવી છે ? ધર્મ ભીતર ઉતર્યો નથી. ધર્મ માત્ર બાહ્યાચાર બનીને રહી ગયો છે. વ્યવહાર અને વેપારમાં વિશ્વસનિયતા જેવા સંસ્કારનું કોઈ મૂલ્ય રહ્યું નથી. એક માણસ દવાની દુકાને ગયો અને ડાઘ દૂર કરવાની દવા માંગી. કેમિસ્ટે એને એક ટ્યૂબ આપી.
બીજા દિવસે એ.દવાની દુકાને પાછો ગયો અને ટ્યૂબ પાછી આપવા લાગ્યો. દુકાનદારે તેને ટ્યૂબ પાછી આપવાનું કારણ પૂછ્યું, ‘કેમ ભાઈ ! દવા તો બરાબર છે. વાપરી જુઓ. એક દિવસમાં ડાઘ મટે નહિ.’
‘ડાઘ મટે કે ન મટે પણ નવા ડાઘ તો ન થવા જોઈએને ? હવે મને બીજી દવા આપો જે આ ટ્યૂબથી થયેલા ડાઘ દૂર કરે.' – મૂળ સમસ્યા મટતી નથી અને બીજી-ત્રીજી સમસ્યા ઊભી થાય છે. વીસ કરોડ ભારતીયોની જે સ્થિતિ છે, એમાં સુધારો આવે એમની સમસ્યા હલ થાય તો હિન્દુસ્તાન આજે ખૂબ આગળ વધી શકે. હમણાં જ એક રિપોર્ટ વાંચ્યો જેમાં જણાવ્યું હતું કે ભારતમાં ઘણી બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ આવી રહી છે, પણ કિંમતોમાં વધારો જ થતો રહે છે. ચીન જેવા દેશમાં મોંઘવારી પર નિયંત્રણ છે. આપણે ત્યાં નિયંત્રણ અને અનુશાસનની વાત જ કોઈ સમજવા તૈયાર નથી. નિયંત્રણ અને અનુશાસનના અભાવમાં કોઈ પણ રાષ્ટ્ર પ્રગતિ કરી શકે નહીં.
અમારા સૂરત પ્રવાસ વખતે એક કેન્દ્રીય મંત્રીને અમે પૂછ્યું, ‘આપ હમણાં ચીનના પ્રવાસે જઈ આવ્યા, ત્યાં આપે શું જોયું ?’
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
મહપ્રજ્ઞ વાણી .
*૬
www.jainelibrary.org