________________
૧
આનંદો મે વતિ વર્ષતિ
હમણાં જ મહાશ્રમણ ગાઈ રહ્યા હતા ‘આનંદ તુમ્હે મિલ જાયેગા' આનંદની શોધ કરવી જોઈએ. આનંદ મળી શકે છે, એ બિલકુલ સાચી વાત છે, પણ ક્યારે ? આ પ્રશ્ન ૫૨ પહેલાં પણ વિચાર થયો છે, આજે પણ આપણે કરી શકીએ છીએ.
ફોર્મ્યુલા એ છે કે જેટલો પ્રકાશ, એટલો આનંદ. જેટલો અંધકાર, એટલું દુઃખ. આ એક સ્થાયી સૂત્ર બની શકે છે. જ્યાં જ્યાં પ્રકાશ છે, ત્યાં ત્યાં આનંદ છે, અને જ્યાં જ્યાં અંધારું છે, ત્યાં ત્યાં દુઃખ છે. ગઈકાલે જ એક વાત ધ્યાનમાં આવી. એક મહિલાએ મહાશ્રમણ પાસે આવીને કહ્યું, - ‘ખૂબ દુ:ખી છું. ચાર દીકરા અને દારૂડિયો પતિ છે, જે હંમેશા નશામાં રહે છે. કાંઈ કમાતો નથી. ઘરમાં ખાવા માટે કાંઈ નથી. બાળકો રડે છે, અને થાકીને સૂઈ જાય છે.’
આવી સ્થિતિમાં દુ:ખ સ્વાભાવિક છે. જે પોતાના બાળકને બે ટંકનું ભોજન ન આપી શકે તેવી મા દુઃખી થાય તે સહજ છે. દુ:ખ અંધકાર છે. આ જગત અંધકારમય છે. ઘણા લોકો અંધકારમાં જીવી રહ્યા છે. એમને ઉગારશે કોણ ? આ પ્રશ્ન વિકટ છે. એક રીતે સહેજ પાછા વળીને જોઉં છું તો જણાય છે કે આજે આ પ્રકારના પ્રશ્નની જરૂર નથી. એક બટન દબાવો, સ્વિચ ઓન કરો, પ્રકાશ રેલાય
૧૫
આનંદો મે વર્ષતિ વર્ષતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org