________________
૨૬૫
(૬) પ્રવચનમાં કુશલ, એટલે કે શ્રી સર્વજ્ઞ જિનેશ્વરદેવના શાસ્ત્રમાં કુશલ. આ દરેકના આવી આવી રીતે પેટાભેદો પણ છે. એમાં
પહેલા વ્રતકાર્ય અંગે વ્રતો સંબંધી (૧) ઉપદેશશ્રવણ, (૨) બોધ, (૩) ગ્રહણ, (૪) દૃઢપાલન એ ચાર ભેદ છે...
બીજા ‘શીલવત્તા’માં ૧. શીલરક્ષાના સ્થાનનું સેવન, ૨. પરગૃહપ્રવેશત્યાગ-અનુભટ વેશ, ૩.વિકારી વચનનો ત્યાગ અને ૪. બાલીશ ક્રીડાત્યાગ અને કઠોર વચન પ્રયોગનો ત્યાગ આવે.
ત્રીજા ‘ગુણવત્તા’માં આમ તો ગુણો અનેક પ્રકારના આવે, પણ અહીં ખાસ ક્રિયારૂપી ગુણ લેવાના છે. (૧) વૈરાગ્યદાયી શાસ્ત્રાધ્યયનરટણ વગે૨ે, (૨) તપ-નિયમ-વંદનાદિ, (૩) ગુણીજનોનો વિનય, (૪) ગીતાર્થ (ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા) ગુરુના વચનને યથાર્થ માનવારૂપી અભિનિવેશ અને (૫) શ્રદ્ધાસહિત એને સાંભળવા તે. એમ પાંચ છે....
ચોથા ‘ઋજુવ્યવહાર'માં આવે, ૧. યથાર્થ (સાચું) બોલવું, ૨. અવંચક (નિર્દભ) ક્રિયા, ૩. છતાં નુકશાનોનું પ્રકાશન અને ૪. હૃદયના સદ્ભાવ સાથે મૈત્રીભાવ.
પાંચમા ‘ગુરુશ્રુષા' લક્ષણમાં આ ચાર પેટાભેદ છે - ૧. ગુરુને ધ્યાનાદિમાં બાધ કર્યા વિના સર્વ પ્રકારે સેવવા, ૨. ગુરુની પ્રશંસા સંભળાવી, બીજાઓને ગુરુસેવક કરવાં; ૩. ગુરુને ઔષધાદિ સંપાદન અને ૪. ગુરુના હાર્દિક ભાવને અનુસરવાપૂર્વક ગુરુપર સદા બહુમાન.
છઠ્ઠા ‘પ્રવચન કુશલતા' લક્ષણના ૬ ભેદ - ૧. શ્રાવકને યોગ્ય સૂત્રોનું અધ્યયન, ૨. અર્થશાન, ૩-૪ ઉત્સર્ગ-અપવાદના વિષય-વિભાગનો બોધ, ૫. સદા વિધિવાળા ધર્માનુષ્ઠાન પર પક્ષપાત અને ૬. દેશકાળને અનુરૂપ ગીતાર્થ વ્યવહારનું જ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org