________________
આ ઉપોદઘાત ,
નિશ્ચય અને વ્યવહારને લગતો આ ગ્રંથ હું એક વખત સળંગ વાંચી ગયો છું. ઉન્માર્ગે ચઢી ગયેલાઓને માર્ગે લાવવા માટે તથા ગુંચવાડા દૂર કરી જિજ્ઞાસુઓને સંતોષકારક સમાધાન આપવા માટે આવા એક ગ્રન્થની ખાસ અનિવાર્ય જરૂર હતી. તે જરૂરીયાત આ રીતે પૂરી પડે છે.
અત્યંત સરળ ભાષા અને સહેલાઈથી સમજી શકાય તેવા દાખલાદલીલો યુક્ત આ ગ્રન્થ બહુ જ ઉપકારક થઈ પડે તેમ છે. ઉન્માર્ગ પોષકમતના સંચાલકના પોતાના જ લખાણમાંથી તેની ઉક્તિઓ ટાંકીને, તેમાં જ પ્રવર્તતો પરસ્પરનો વિરોધ બતાવવામાં પૂજ્ય મુનિરાજશ્રીએ એવી કુશળતા વાપરી છે, કે સત્ય અને વિપરીત માર્ગની સ્પષ્ટતા જીજ્ઞાસુ વાંચકોને સચોટ રીતે ઠસી જાય તેમ છે. સાથે સાથે નિશ્ચયનય અને વ્યવહારનયના વિષયવિભાગને લગતાં દૃષ્ટિબિંદુઓથી વિચારાયેલી વિચારણા જૈનશાસનમાં જે મળી આવે છે, તેનો પણ સુંદર પરિચય આ પુસ્તકમાં અપાયેલો છે.
શ્વેતામ્બર શાસ્ત્રો તો જાણે કે- સર્વજ્ઞકથિત નિશ્ચયનયની પણ યથાસ્થિત વિચારણાની એવી એક અદ્દભૂત ખાણ જ છે ! નવીન મતની એકાંત-દષ્ટિની તથા ઉત્કમ અને વિપરીત વિચારણાની પ્રવૃત્તિ ઉન્માર્ગ-પોષક હોવા છતાં, તે અસ્તિત્વમાં આવ્યા પછી કેટલાકોને જે ભ્રમ થયો છે કે –
“શ્વેતામ્બર શાસ્ત્રોમાં નિશ્ચયનયની દૃષ્ટિથી મોક્ષમાર્ગનો વિચાર જ નથી. અને ક્યાંક ક્યાંક છૂટો છવાયો હશે, તો તે નજીવો અને સમયસાર વગેરે દિગમ્બરાચાર્યોના ગ્રન્થોમાંથી ઉદ્ધત અને તેની અસરરૂપે છે. વ્યવહારનય તથા નિશ્ચયનયની તુલના માટે તો કાંઈ છે જ નહિ.”–આ. ભ્રમણા આજે સદંતર ભાંગી ગઈ છે. કેમકે, આ વિષય ઉપર શાસ્ત્રીય સંશોધન અને પરિશીલન સારા પ્રમાણમાં વધી ગયેલા છે. શ્વેતામ્બર શાસન પરંપરાને માન્ય શ્રી આચારાંગ, શ્રી ભગવતી સૂત્રઆદિ આગમ પંચાંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org