________________
૨૬૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
માઈનો અર્થ છે, મોક્ષ પ્રાપ્તિના ઇચ્છુક અર્થાત્ શીધ્ર આ ભવમાં જ મોક્ષ પ્રાપ્ત કરનારા અરિહંત ભગવાન, જેને જે ફળની પ્રાપ્તિ થવાની હોય તેને તેનો ઇચ્છુક કહી શકાય છે. જેમ નરકમાં જવા યોગ્ય કાર્ય કરનારા નરકાયુના ઇચ્છુક કહેવામાં આવ્યા છે. સામાયિક - પ્ર. ૧ – સામાયિક ક્યાં કરવી જોઈએ? જવાબ:- ધર્મ સ્થાનમાં અથવા એકાંત અને શાંત, જીવ જંતુ રહિત સ્થાનમાં કરવી જોઈએ. રાત્રિમાં છતયુક્ત સ્થાનમાં કરવી જોઈએ. પ્ર. ૨ :- સામાયિકમાં વેશ કેવો હોવો જોઈએ ? જવાબ :- સાંસારિક ઝભ્ભો, પેન્ટ આદિ સીવેલ વસ્ત્ર ઉતારીને સફેદ ચાદર (પછેડી) મુહપત્તિ અને ચોલપટ્ટો પહેરવો જોઈએ. પ્ર. ૩ઃ- સામાયિકના ઉપકરણ શું છે? જવાબ:- આસન, મુહપત્તિ, ચાદર(પછેડી), ચોલપટ્ટો, પૂંજણી; આ આવશ્યક ઉપકરણ છે તથા જ્ઞાન ધ્યાન માટે માળા અથવા ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ. પ્ર. ૪ – મુખ વસ્ત્રિકા આદિનું શું માપ છે? જવાબ:- મુખ વસ્ત્રિકા ૨૧ આંગુલ લાંબી + ૧ આંગુલ પહોળી; દુપટ્ટા = ૨ મીટર લંબાઈ+ ૧ મીટર પહોળાઈ ચોલપટ્ટો = ૨ મીટર લંબાઈ + ૩/૪ પોણો મીટર ઊંચાઈ પ્ર. ૫ – મુખવસ્ત્રિકા કેવી રીતે રાખવી જોઈએ? જવાબ:- મુખ પર રહેનારું વસ્ત્ર જ મુખવસ્ત્રિકા કહેવાય છે. એટલે આઠ પડ કરીને ૫ આંગુલ પહોળી અને ૮ આંગુલ લાંબી મુખવસ્ત્રિકાની વચમાં દોરો લગાવીને મુખ પર બાંધવી જોઈએ. પ્ર. ૬ – મુખ વસ્ત્રિકા બાંધવાનું શું કારણ છે? જવાબ:– ૧. એનું નામ જ મુખવસ્ત્રિકા છે. સામાયિકમાં ઉઘાડે મોઢે બોલવું કલ્પતું નથી ૩. ઉઘાડે મોઢે બોલવાથી સાવધ ભાષા બને છે ૪. ઉઘાડે મોઢે બોલવાથી વાયુકાય આદિ જીવોની વિરાધના થાય છે ૫. ઉઘાડે મોઢે બોલવાથી બીજા પર ઘૂંક ઉડે છે . ધાર્મિક આચરણનું આ ચિહ્ન છે. એટલે મુખવસ્ત્રિકા મોઢા પર બાંધીને જ સામાયિક કરવામાં આવે છે. પ્ર. ૭:- મુખ વસ્ત્રિકા હાથમાં રાખવાથી કયો દોષ લાગે? જવાબઃ (૧) હાથમાં રાખવાને “કર વસ્ત્ર(રૂમાલ)' કહેવાય છે. મુખ વસ્ત્રિકા કહેવાતી નથી. (૨) હાથમાં રાખવાથી અધિકતર ઉઘાડે મોઢે બોલાય છે, જેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org