________________
ર૬૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા
ગુરુને ન લાગે એવી રીતે હળવા હાથે ચરણ સ્પર્શ કરવો જોઈએ. જો વચમાં કોઈ બેઠા હોય અથવા અધિક સંખ્યા હોય તો દૂરથી જ વંદના પૂર્ણ કરી લેવી જોઈએ. પ્ર. ૧૦ – આવર્તન ત્રણ વાર કેવી રીતે કરવા જોઈએ? જવાબ – ગુરુદેવ સામે બિરાજમાન હોય ત્યારે બંને હાથ જોડીને તેમના મસ્તકની જમણી બાજુથી ડાબી તરફ હાથોને ઘુમાવતાં ત્રણ વાર આવર્તન કરવું જોઈએ. પછી પંજા અને ચૂંટણીના બળથી બેસીને પંચાંગ નમાવીને વંદના કરવી જોઈએ. પ્ર. ૧૧ઃ- ત્રણ વાર પ્રદક્ષિણા–આવર્તન શા માટે કરવામાં આવે છે? જવાબ:- પૂર્ણ વિનય પ્રગટ કરવા માટે ત્રણવાર આવર્તન કરવામાં આવે છે. લૌકિક વ્યવહારમાં પણ કોઈ વાતને પૂર્ણ નિશ્ચિત્ત કરવા માટે ત્રણ વાર કરવામાં કે કહેવામાં આવે છે. પ્ર. ૧૨ઃ- પર્યાપાસના કોને કહે છે? જવાબ:– કાંઈક સાંભળવાની ઇચ્છાથી નમ્ર આસને ગુરુની સમીપ બેસવું. પ્ર. ૧૩:સત્કાર કોને કહે છે? જવાબ:– સ્તુતિ કરવી, સ્વાગત કરવું, વસ્ત્ર આદિ આપવા. પ્ર. ૧૪ – સન્માન કોને કહે છે? જવાબ :- મોટા માનવા, ઊંચું આસન દેવું, નમ્રતા રાખવી અને અંતરમાં અહોભાવ રાખવો. પ્ર. ૧૫ – ઉત્કૃષ્ટ વંદના કોને કહે છે? જવાબ:- ખમાસમણાના પાઠથી ૧ર આવર્તનપૂર્વક વંદના કરવી. પ્ર. ૧૬:– ઉત્કૃષ્ટ વંદના ક્યારે કરવામાં આવે છે? જવાબ :– પ્રતિક્રમણ વખતે ગુરુની આશાતનાઓ સંબંધી આલોચના એવું ક્ષમાપના કરવા માટે ઉત્કૃષ્ટ વંદના કરવામાં આવે છે. પ્ર. ૧૭:ત્રણે વંદનામાં કેટલા-કેટલા આવર્તન હોય છે? જવાબઃ- જઘન્ય વંદનામાં આવર્તન હોતા નથી. મધ્યમ વંદનામાં ત્રણ આવર્તન હોય છે અને ઉત્કૃષ્ટ વંદનામાં ૧૨ આવર્તન હોય છે. પ્ર. ૧૮ – વંદના કેટલીવાર કરવી જોઈએ? જવાબ :- જઘન્ય અને મધ્યમ વંદના એકેકવાર કરવી જોઈએ તથા ઉત્કૃષ્ટ વંદના બે વાર કરવી જોઈએ. મધ્યમ વંદના ત્રણ વાર કરવાની પરંપરા ચાલે છે. પ્ર. ૧૯ઃ– મધ્યમ વંદના કોને કરવામાં આવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org