________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-પ
ર૫૩
ઋષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ જિનેશ્વરને હું વંદન કરું છું.
સુવિધિ(પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ જિનેશ્વરને હું વંદન કરું છું.
કુંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પારસ, વર્ધમાન જિનેશ્વરને હું વંદન કરું છું.
આ પ્રકારે મારા દ્વારા સ્તુતિ કરાયેલ, કર્મ રૂપી રજમેલ રહિત તથા જન્મ મરણથી મુક્ત ચોવીસ જિનેશ્વર તીર્થકર ભગવાન મારા પર પ્રસન્ન થાઓ.
જેનું કીર્તન, વંદન અને ભાવપૂજન કર્યું છે, જે લોકમાં ઉત્તમ છે, તે સિદ્ધ ભગવાન ! મને ભાવ આરોગ્ય, શુદ્ધ સમ્યત્વ લાભ અને શ્રેષ્ઠ સમાધિ ભાવ આપો.
ચંદ્રથી પણ અધિક નિર્મળ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા મહાસમુદ્રની સમાન ગંભીર સિદ્ધ ભગવાન ! મને મોક્ષની સિદ્ધિ આપો. સામાયિક વ્રત લેવાનો પાઠ (રેમિ ભંતે):
હે ભગવાન! હું સામાયિક વ્રત ગ્રહણ કરું છું, પાપ કાર્યોનો ત્યાગ કરું છું. બે ઘડી માટે હું આપની સેવામાં બેસું છું. હું પાપકાર્યોને મન, વચન અને કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિ તથા પૂર્વકૃત પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાઉં છું. હૃદયથી તે કાર્યોને ખરાબ સમજું છું. તેની ગહ કરું છું, આ રીતે મારા આત્માને પાપ ક્રિયાથી અલગ કરું છું. સિદ્ધ સ્તુતિનો પાઠ (ામોત્થM) -
અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે ધર્મની આદિ કરનારા છે, ચાર તીર્થની સ્થાપના કરનારા, સ્વયં બોધ પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન છે, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરવાવાળા, લોકમાં દીપક સમાન, લોકમાં ઉદ્યોત કરનારા છે.
જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રને દેનારા, મોક્ષ માર્ગના દાતા, શરણ દેનારા, સંયમ રૂપી જીવનના દેનારા, સમ્યકત્વ લાભના દેનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી છે.
ચાર ગતિનો અંત કરનારા શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી છે. દ્વીપ સમાન, રક્ષક રૂપ, શરણભૂત, ગતિરૂપ અને આધાર ભૂત છે.
બાધા રહિત શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શનને ધારણ કરવાવાળા, છદ્મસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org