SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪ અને પછી સવારના પચ્ચક્ખાણમાં તેનાથી ૫-૧૦ મીનિટ ઉપરાંતના પચ્ચક્ખાણ કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી બંને વખતે નવા પચ્ચક્ખાણ થઈ જાય અને આ રીતે કરવાથી એક જ પચ્ચક્ખાણ બે વાર કરવા પડશે નહીં. આ મૂંઝવણના કારણે કેટલાય સંત સાંજે પચ્ચક્ખાણ ન કરતાં સવારે જ પચ્ચક્ખાણ કરે છે. (૩૯) પ્રશ્ન :– કાઉસ્સગ્ગમાં કેટલા લોગસ્સ ગણવા જોઈએ ? જવાબ :~ સૌ પ્રથમ એ યાદ રાખવું જોઈએ કે લોગસ્સનો પાઠ કાઉસ્સગ્ગમાં બોલવાનું યોગ્ય નથી. આ વિષય પૂર્વ પ્રશ્નોત્તરોમાં સમજાવી દીધો છે. ૨૪૩ પ્રાચીન પરંપરા પ્રમાણે દેવસિય પ્રતિક્રમણમાં ૪, રાત્રિમાં ૨, પાખીમાં ૧૨, ચોમાસીમાં ૨૦, સંવત્સરીમાં ૪૦ લોગસ્સ બોલવાનો ઉલ્લેખ મળે છે. વર્તમાન પરંપરામાં ૪, ૨, ૮, ૧૨, ૨૦ લોગસ્સ બોલવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે. એના સિવાય બીજી સંખ્યા પણ છે. ગુજરાતમાં કાઉસ્સગ્ગમાં લોગસ્સ ન ગણવાની પરંપરા પણ ચાલે છે. વાસ્તવમાં ૨૪મા ભગવાનના શાસનમાં જ્યાં બંને સમય પ્રતિક્રમણ કરવું જરૂરી હોય છે ત્યાં એટલા બધા લોગસ્સ બોલવાના સાધુઓ માટે બરાબર નથી. તેને તો દેવસિક પ્રતિક્રમણમાં ક્ષમાભાવ ચિંતન, રાત્રિ પ્રતિક્રમણમાં તપચિંતન કરવું સદા આવશ્યક સમજવું જોઈએ. સંપૂર્ણ પ્રતિક્રમણના કાઉસગ્ગમાં અતિચાર ચિંતન અને ક્ષમાભાવ ચિંતન જ મુખ્ય ઉદ્દેશ છે પરંતુ જેનાથી ઉક્ત ચિંતન સંભવ ન હોય, તેના માટે જોવÆ ગણવાની બનાવેલી અવલંબન રૂપ પરંપરા છે. આમ તો કાઉસ્સગ્ગમાં સંપૂર્ણ યોગોનું વ્યુત્સર્જન કરવામાં આવે છે. ફક્ત શ્વાસોશ્વાસની ગણતરી સમય પરિમાણ માટે કરવાની હોય છે. આવશ્યક સૂત્રની પ્રાચીન વ્યાખ્યામાં પહેલો વિકલ્પ શ્વાસોશ્વાસ ગણતરીનો છે. બીજોવિકલ્પ લોગસ્સનો કહ્યો છે. બંનેનો સહજ સમન્વય થતો નથી પરંતુ પરાણે બેસાડવો પડે છે. સંવત્સરી, પાખી, ચોમાસીના દિવસે પણ લોગસ્સ બોલવાને બદલે ક્ષમાભાવ-ક્ષમાપના ભાવને પુષ્ટ કરવા માટેનું ચિંતન કરવું, આ પ્રતિક્રમણનો મુખ્ય હેતુ ધ્યાનમાં રાખીને તેનું ચિંતન કરવું જોઈએ. આ જ નૂતન વિકાસનું માધ્યમ અનુભવથી સમજાય છે તથા માત્ર પરંપરાને જ નિભાવવી હોય કે ચિંતન કરતાં ન આવડતું હોય તો ઉક્ત લોગસ્સ બોલતા રહેવું જોઈએ, તેને છોડવાની આવશ્યકતા નથી. કાઉસ્સગ્ગમાં જોક્સ ગણવાનું આગમમાં ક્યાંય વિધાન નથી. પરંતુ કાઉસ્સગ્ગ પૂર્ણ કર્યા પછી કીર્તન કરવા માટે એનું વિધાન આવશ્યક સૂત્રના બીજા આવશ્યકરૂપમાં છે. કાઉસ્સગ્ગ પછી પણ કીર્તનરૂપમાં લોગસ્સ પ્રકટ બોલવાનું ઉત્તરાધ્યયન સૂત્રમાં વિધાન છે. એટલે કાઉસ્સગ્ગમાં લોગસ્સ બોલવામાં આગમના મૂળપાઠનો આધાર નથી પરંતુ પ્રગટ બોલવાના સ્પષ્ટ પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy