SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ધ્યાનના નામ બોલવામાં મતભેદ છે. અપેક્ષાથી બે ધ્યાન બોલવા જ વિશેષ યોગ્ય લાગે છે. ર૩ર (૧૬) પ્રશ્ન :– લોગસ્સનો પાઠ ક્યારે બોલવામાં આવે છે ? જવાબ :- કોઈપણ પ્રકારના આગમોક્ત કાઉસગ્ગ કર્યા પછી પ્રગટમાં લોગસ્સનો પાઠ બોલવામાં આવે છે. પ્રતિક્રમણમાં પણ કાઉસગ્ગ પછી લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે. લોગસ્સનો પાઠ તીર્થંકરનું ઉત્કીર્તન છે, નામ સહિત ગુણગ્રામ છે. કીર્તન અને ગુણગ્રામ મનમાં કરવાના અથવા મૌનથી કરવાના હોતા નથી. તે તો પ્રગટથી બોલીને કરવામાં આવે, ત્યારે તેનું કીર્તન નામ સાર્થક થાય છે. આગમ, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આવશ્યક સૂત્રમાં પણ કાઉસ્સગ્ગ પછી લોગસ્સનો પાઠ બોલવાનું વિધાન છે. કાઉસ્સગ્ગની અંદર લોગસ્સનો પાઠ કરવાનું વિધાન કોઈપણ મૂળ આગમમાં નથી પરંતુ કાઉસ્સગ્ગ પછી બોલવાનું વિધાન અવશ્ય છે. તો પણ પૂર્વાચાર્યોએ સામાન્ય લોકોની દષ્ટિથી કાઉસ્સગ્ગમાં પણ આલંબન હેતુ લોગસ્સનો પાઠ બોલવાની પરંપરા ચલાવી છે. વાસ્તવમાં તો કાઉસ્સગ્ગ, આત્મ ચિંતન, અતિચાર દોષનું ચિંતન કરવા માટે કરવામાં આવે છે. ગુણકીર્તન કરવા માટે કાઉસ્સગ્ગ કરવાની આવશ્યકતા હોતી નથી. તે તો પ્રગટ ઉચ્ચારણથી કરવાની વસ્તુ છે. ત્યારે તેને કીર્તન કહી શકાય છે. (૧૭) પ્રશ્ન :– સામાયિક પાળવાના પાઠ કેટલા છે ? જવાબ :– સામાયિક વ્રતના પાંચ અતિચારનો પાઠ, સામાયૅ સમ્મ જાળ ઇત્યાદિ પાઠ અને ૩ર દોષોનો પાઠ આ ત્રણ પાઠ મુખ્ય રૂપથી છે. બાકીના પાઠ ૪ સંજ્ઞા, ૪ વિકથા આદિ પાઠ સ્પષ્ટીકરણ માટે જોડવામાં આવ્યા છે. જેનો સમાવેશ ૩ર દોષોમાં થઈ જાય છે. પ્રશ્ન :- સામાયિક લેવા પાળવાની વિધિમાં ફરક કેમ આવે છે ? જવાબ :- સામાયિક લેવા પાળવાના પાઠોચ્ચરણ વિધિ અથવા ક્રમ નિર્દેશ કોઈપણ આગમમાં અથવા તેની વ્યાખ્યામાં મળતાં નથી. મૂળ આધાર કાંઈપણ ન મળવાથી અને ભિન્ન-ભિન્ન પરંપરાઓથી મળ્યા હોવાના કારણે વિધિમાં ફરક આવે છે. તત્ત્વદષ્ટિથી સમજવા માટે નીચેના તત્ત્વ વિચારવા યોગ્ય છે. સામાયિક લેતાં સમયે ઇરિયાવહિ પ્રતિક્રમણ હેતુ રૂન્ટામિ પડિમિત ફરિયા વહિયા ના પાઠનું ધ્યાન કરવું તે બરાબર છે. સામાયિક પાળવાના સમયે સામાયિકમાં થયેલ ૧૮ પાપોના ત્યાગ રૂપ વ્રતમાં લાગેલા અતિચારોનું ચિંતન કરવાના હેતુથી ૧૮ પાપસ્થાનના પાઠનું ધ્યાન કરવું બરાબર છે. લોગસ્સનો પાઠ અને કાઉસ્સગ્ગ શુદ્ધિનો પાઠ તો પ્રત્યેક કાઉસ્સગ્ગની પછી જ બોલવામાં આવે છે. લોગસ્સના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy