________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪
૨૩૧
મધ્યમ વંદના એકવાર કરવી જોઈએ. પ્રત્યક્ષમાં તીર્થકર ભગવાન માટે શ્રાવક શ્રાવિકાઓ દ્વારા ત્રણ આવર્તનપૂર્વક એકવાર વંદન કરીને બેસી જવાનું વર્ણન અનેક આગમોમાં મળી આવે છે. ફક્ત ઉત્કૃષ્ટ વંદન પ્રતિક્રમણમાં ત્રણ જગ્યાએ, બે-બે વખત કરવામાં આવે છે. ત્રણ વારની મધ્યમ વંદનાનો કોઈ આગમ આધાર નથી. સાધુ હજારો ગુણોના ધારક હોય છે અને મુખ્ય ર૭ ગુણોના ધારક હોય છે. તો તે ગુણો પ્રમાણે વંદના કરાય નહીં.
તેમ છતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની અપેક્ષાએ ત્રણ વંદના કરવાનો રિવાજ છે પરંતુ સાધુઓને ત્રણ વાર કરવાની સાથે સિદ્ધોને પણ ત્રણવાર વંદના કરવામાં આવે છે. જો કે તેમાં જ્ઞાન, દર્શન બે જ હોય છે, ચારિત્ર હોતું નથી.
અનેક શ્રાવકો દ્વારા ભગવાનને વંદન કરવાનું વર્ણન આગમોમાં જોવાથી એ સ્પષ્ટ થાય છે કે ત્રણ આવર્તન અને એકવાર પંચાંગ નમાવીને વંદન કરવું, એ આગમ સમ્મત વંદન વિધિ છે. (૧ર) પ્રશ્ન:- ગમનાગમન અતિચાર પ્રતિક્રમણનો પાઠ બે પ્રકારે જોવા મળે છે. તેમાં સાચો કયો છે? જવાબ:- રૂછામિ પડિક્ષ8િ રૂરિયાવદિયા, આ રીતે શરૂ થવાવાળો પાઠ શુદ્ધ છે અને રૂછવાઈ સંવિસઈ માવ ફરિયાવહિયં પશ્ચિમામિ રૂછે આટલો પાઠ પાછળથી જોડાયો છે, એવું પ્રાચીન પ્રતો જોવાથી જણાય છે. (૩) પ્રશ્ન :- પ્રતિક્રમણ કરવાની વિધિમાં એક પાઠ કેટલીવાર આવી શકે? જવાબ – પ્રતિક્રમણ વિધિમાં અલગ-અલગ જગ્યાએ કોઈપણ પાઠ ત્રણવાર આવી શકે છે. તેનાથી અધિક આવે તો તે આગમ આધાર વિનાની અશુદ્ધ પરંપરા છે, તેમ સમજવું અને ત્રણથી અધિક વાર બોલવું આવશ્યક પણ નથી. (૧૪) પ્રશ્ન :- કાઉસ્સગ્ન ઊભા-ઊભા કરવો કે બેસીને? જવાબ:- શારીરિક કારણ ન હોય તો કાઉસ્સગ્ગ ઊભા થઈને જ કરવો જોઈએ. પરિસ્થિતિનું કોઈ કારણ હોવા પર સુખાસનથી બેસીને પણ કાઉસ્સગ્ન કરી શકાય છે. પ્રશ્ન :– કાઉસગ્ગ પાળવાના સમયે આખો નવકાર મંત્ર બોલવો જોઈએ કે ફક્ત એક જ પદ બોલવું? જવાબ:- ફક્ત નો રિહંતાળું એટલું જ પદ બોલવું જોઇએ. તસ ૩ત્તરીના પાઠથી પણ એ જ સાબિત થાય છે. આખો નમસ્કાર મંત્ર બોલવો, તે પડી ગયેલી પરંપરા માત્ર છે. (૧૫) પ્રશ્ન :- કાઉસ્સગ્ન શુદ્ધિનો સાચો પાઠ કયો છે? જવાબ :- આ પાઠ આગમમાં મળતો નથી. એટલે એમાં બે ધ્યાન અને ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org