________________
૨૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીતા
સામાયિક પ્રતિક્રમણના વિશેષ પ્રશ્નોત્તર | (૧) પ્રશ્ન :– નવકાર મંત્રમાં કોને નમસ્કાર કરવામાં આવેલ છે? જવાબ:- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ; આ પાંચ પદોને નમસ્કાર કરવામાં આવેલ છે. પ્રશ્ન :- પદ કોને કહે છે? જવાબ:- યોગ્યતા, ગુણ વૃદ્ધિથી પ્રાપ્ત થયેલા પૂજ્ય સ્થાનને પદ કહે છે અને કાર્ય ક્ષમતાની યોગ્યતાથી આપેલાં પૂજ્ય સ્થાનને પદ કહે છે. પ્રશ્ન :- પ્રથમ અરિહંત પદમાં કોને નમસ્કાર કરવામાં આવે છે? જવાબ:- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય; આ ચાર ઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી મનુષ્ય લોકમાં વિચરતાં તીર્થકર ભગવાનને પ્રથમ અરિહંત પદમાં નમસ્કાર કરવામાં આવે છે. પ્રશ્ન :- સિદ્ધ કોને કહે છે? જવાબ :- જેઓએ આઠ કર્મોનો નાશ કરી સંપૂર્ણ આત્મ કલ્યાણ સાધી લીધું છે, જે મોક્ષમાં પહોંચી ગયા છે, તે સિદ્ધ ભગવાન કહેવાય છે. પ્રશ્ન :– આચાર્ય કોને કહે છે? જવાબ :- જે સાધુસંઘના નાયક છે, સ્વયં આચાર પાળે છે અને સાધુસંઘને પળાવે છે, તેને આચાર્ય કહે છે. પ્રશ્ન – ઉપાધ્યાય કોને કહે છે? જવાબ – જે શાસ્ત્રોના જાણકાર હોય અને શિષ્યોને શાસ્ત્રનું અધ્યયન કરાવે, તેને ઉપાધ્યાય કહે છે. પ્રશ્ન :- સાધુ કોને કહે છે? જવાબ :- જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરે છે તથા શાસ્ત્રાનુસાર આચરણ કરે છે, તેને સાધુ કહે છે. (૨) પ્રશ્ન :- આ પદ સ્વતઃ પ્રાપ્ત થાય છે કે કોઈના દેવાથી? જવાબ:- અરિહંત અને સિદ્ધ એ બે પદસ્વતઃ પ્રાપ્ત થાય છે તથા સંયમ ગ્રહણ કરવાથી સાધુ પદ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ સંઘને સંભાળવાની યોગ્યતા હોય એવા વિદ્વાન સાધુને આચાર્ય પદ આપવામાં આવે છે. શિષ્યોને ભણાવવામાં કુશળ હોય એવા વિદ્વાન સાધુને ઉપાધ્યાય પદ આપવામાં આવે છે. આ પ્રકારે ત્રણ પદ ગુણોથી સ્વયં પ્રાપ્ત થાય છે અને બે પદ(આચાર્ય ઉપાધ્યાય) આપવાથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન :- પાંચ પદમાં દેવ કેટલા અને ગુરુ કેટલા? જવાબ:- અરિહંત અને સિદ્ધ એ બે આપણા આરાધ્ય દેવ છે અને આચાર્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org