________________
૨૦૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ; જૈનાગમ નવનીત
પરિશિષ્ટ-ર
જી. સૂત્ર સિવાયના પ્રચલિત ગુજરાતી પાઠો
ભાષા-પાઠાનુક્રમ ઃ(૧) છ કાયા
(૬)
(૨) પાંચ મહાવ્રત
(૭)
(૩) રાત્રિ ભોજન
(૮)
(૯)
(૪) સમિતિ ગુપ્તિ (૫) સંલેખના-સંથારા (૧૦) તપ ચિંતન અતિચાર ચિંતન વિધિ [ પ્રથમાવશ્યકમાં ]
અતિચાર ચિંતનની બે પ્રકારની વિધિ છે. જેમ કે– (૧) દિનચર્યા ચિંતન વિધિ (૨) છ કાય, મહાવ્રત, સમિતિ ગુપ્તિના સ્વરૂપને આધારે અતિચાર ચિંતન વિધિ. (૧) સવારે સૂર્યોદય પછી મુહપત્તિ પ્રતિલેખનથી લઈને જે કાંઈ દૈનિક કાર્ય, વચન પ્રયોગ વગેરે કર્યા હોય, તેનું ક્રમથી સ્મરણ કરતાં-કરતાં વિચારવું કે તેમાં ક્યાંય કોઈપણ સંયમ કલ્પવિધિમાં અતિચાર દોષ લાગ્યો નથી ને ? કોઈ અવિધિ તો થઈ નથી ને ? આમ ક્રમશઃ સાંજનું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાંના બધા કાર્યક્રમોમાં ઉપયોગ લગાવીને અનુપ્રેક્ષણ કરવું, આ દિનચર્યા ચિંતન વિધિ છે. (૨) છ કાય, પાંચ મહાવ્રત સ્વરૂપ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એમ જ્ઞાન દર્શન, ચારિત્ર તપના સ્વરૂપના આધારે અનુપ્રેક્ષણ કરવું કે આ સંયમના મુખ્ય નિયમ, ઉપનિયમોમાં કાંઈ સ્ખલના તો થઈ નથી ને ?
ચૌદ સંમૂર્છિમ
પચ્ચીસ મિથ્યાત્વ
ક્ષમાપના પાઠ
કાયોત્સર્ગ આજ્ઞા
(૧૧) પ્રત્યાખ્યાન
(૧૨)
(૧૩)
(૧૪)
જ્ઞાનાતિચાર
(૧૫) દર્શનાતિચાર
પ્રતિક્રમણ શુદ્ધિ
અઢાર પાપ
નોંધ :- આ બંને ચિંતન વિધિનો નિર્દેશ આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ટીકામાં ઉપલબ્ધ છે.
આ ચિંતન પ્રવૃત્તિઓ ભાવાત્મક રૂપથી પરંપરામાં ચાલવાથી તત્સંબંધી સ્વતંત્ર કોઈ પણ મૂળપાઠ આવશ્યક સૂત્રમાં નથી પરંતુ તેનો વિધિ રૂપ સંકેત ઉત્તરાધ્યયન સૂત્ર આદિમાં છે.
આજકાલ ચિંતન વિધિ પ્રાયઃ લોપ જ થઈ રહી છે. કેવળ પરંપરાથી પ્રાપ્ત પાઠનું પુનરાવર્તન માત્ર કાઉસ્સગ્ગમાં કરી લેવામાં આવે છે અને આત્મનિરીક્ષણ, અવલોકન, તેમજ ભાવાત્મક ચિંતનનું લક્ષ્ય ગૌણ થઈ ગયું છે. આત્માર્થી સાધકોએ આ વિષયમાં અવશ્ય સુધારો કરવો જોઈએ. બીજી ચિંતન વિધિ માટે પાઠ આ રીતે છે. છ કાચનો પાઠ :
પૃથ્વીકાય ઃ– રસ્તામાં વિખરાયેલી સચિત્ત માટી, મુરડ, રેતી, બજરી, કાંકરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org