________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૧
૨૦૧
પરિશિષ્ટ-૧
અન્ય આગમાંમાંથી સંકલિત પાઠ
પ્રાર્થન:
આવશ્યક સૂત્રના છ આવશ્યકમાં આવેલા પચીસ પાઠો સિવાયના અન્ય સૂત્રોમાં પણ એવા પાઠો છે જે પ્રતિક્રમણની પરંપરામાં સમ્મિલિત છે. એ ક્યારે, કેવી રીતે સમ્મિલિત થયા તે વિષયમાં કંઈપણ ઇતિહાસ પ્રાપ્ત નથી.
આવશ્યક સૂત્રના મૂળપાઠમાં તો કેવળ શ્રમણોને પ્રતિક્રમણ યોગ્ય પાઠ જ છે, શ્રાવકને યોગ્ય પાઠો નથી. શ્રાવકોએ પણ પ્રતિક્રમણ કરવું તેવો ઉલ્લેખ અનુયોગ દ્વાર સૂત્રમાં છે. માટે આ આવશ્યક સૂત્રની ચૂલિકાના રૂપમાં કે અન્ય કોઈ પણ રૂપમાં તે પાઠ રહ્યાં હશે, એવી સંભાવના છે.
આજે તે અલગરૂપમાં ન હોવાથી તથા આગમોમાં તેવા અનેક પાઠ ઉપલબ્ધ હોવાથી એવું સ્વીકારવું પડે છે કે વધારાના પાઠો અન્ય આગમોથી સંકલિત થઈને પરંપરામાં ચાલે છે. એ સંકલિત પાઠોમાં જરૂરી અને ઉપયોગી પણ છે.
અત્રે પહેલાં શ્રમણ પ્રતિક્રમણમાં ઉપયોગી પાઠોને આપ્યા છે, પછી શ્રાવકના અણુવ્રત આપ્યા છે.
કરેમિ ભંતેનો પાઠ ઇચ્છામિ ામિ'નો પાઠ, આ બે પાઠ સાધુ-શ્રાવક બંનેના એક જ છે, કેટલાક શબ્દ પરિવર્તન સિવાય આ બંને પાઠ શ્રમણ યોગ્ય હોવાથી મૂળ આવશ્યક સૂત્રમાં ઉપલબ્ધ છે જ, શ્રમણોપાસક યોગ્ય આ પ્રકરણમાં આપેલ છે.
આ સંકલન આગમ, નિર્યુક્તિ, ભાષ્ય તથા અન્ય સાહિત્યથી પણ કરવામાં આવેલ છે. આવશ્યક સત્રના છ આવશ્યક અને તે આવશ્યકોના મૌલિક પચીસ પાઠ છે, તે આચાર શાસ્ત્ર વિભાગમાં જુઓ. અહીં પરિશિષ્ટ વિભાગમાં તેનો સમાવેશ કર્યો નથી, પરિશેષ વાર્તાઓનો જ અહીં સંગ્રહ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org