________________
અનુભવ અર્ક: ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૮૫
પ્રસ્તાવનાના લેખક સ્વયં શ્રી દલસુખભાઈ માલવણિયાજીએ પ્રમાણ ચર્ચા સહિત મને એલ. ડી. ભારતીય વિદ્યા મંદિર અમદાવાદમાં સમજાવ્યું કે આ અગત્ય ચૂર્ણિ ભાષ્યોની પછીની રચના છે. પુણ્યવિજયજીને તે કંઈદેવદ્ધિગણિ પૂર્વે બન્યાનો ભ્રમ થયેલ, પરંતુ એ વધારે ચિંતનમાં નહોતા ઉતર્યા, નહીં તો તેમના ધ્યાનમાં આવી શક્યું હોત કે અમુક બાજુની વિચારસરણી માત્રથી તેને તે કાળમાં ન લઈ જઈ શકાય. નિર્યુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુની હોવી, દેવર્ધ્વિગણિ પછીની હોવી, વિક્રમ સંવત ૧૫૦ વર્ષ પછી તેમજ વીર નિર્વાણ ૧000 વર્ષ પછી હોવાનો તેમનો આશય પ્રસ્તાવનામાં સપ્રમાણ ચર્ચિત છે.
તે બૃહત્કલ્પ ભાષ્યના છઠ્ઠા ભાગના “આમુખ'માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યક ભાષ્યની સ્વોપજ્ઞ ટીકાના પ્રમાણને નિરસ્ત કરતાં શ્રી દલસુખ માલવણિયાએ સપ્રમાણ સમજાવ્યું કે આ ટીકા, પછીના વ્યાખ્યાકાર કોટ્યચાર્યની છે. જિનભદ્રગણિની સ્વપજ્ઞ ટીકા પણ છે, પરંતુ તે અધૂરી છે, જે કોટ્ટાચાર્યે પૂર્ણ કરી છે. કોટ્યાચાર્યની ટીકાની અંતર્ગત તે પુણ્યવિજયજીના
આમુખનું કથન છે. વાસ્તવમાં બીજાની પ્રેરણા તથા ઉતાવળમાં તેમણે “આમુખ લખ્યું હોવાથી, આ ભૂલ થઈ છે. ખરૂં ચિંતન તો તેમની બૃહત્કલ્પ સૂત્રની પ્રસ્તાવનામાં સ્પષ્ટ છે. અર્થાત્ નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, વ્યાખ્યાઓ સંબંધી આ ઐતિહાસિક નોંધ ચિંતન, નિર્ણય, મૂર્તિપૂજક પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્ય વિજયજી મ.સા. વ. પં. દલસુખ માલવણિયાના અનુભવથી સમ્મત છે. આ બંને વ્યક્તિ સમકાલીન સાથી આગમ સંપાદન કર્તા થયા છે. (ર) દશાશ્રુત સ્કંધની નિયુક્તિમાં પ્રથમ ગાથામાં જે પ્રાચીન ભદ્રબાહુને વંદન કરેલ છે તેને પણ મુનિ શ્રી પુણ્યવિજયજીએ સારી રીતે સમજાવ્યું છે કે ચૂર્ણિકારે આ ગાથાને નિયુક્તિકારની જ છે, તેમ માન્યું છે અને તેમણે સૂત્રકર્તા ભદ્રબાહુને વંદન કરેલ છે, તેમ બતાવ્યું છે. તેઓને એવો સહેજે વિચાર પણ નહીં આવ્યો હોય કે નિર્યુક્તિ ગાથામાં ભદ્રબાહુને વંદન કેમ કર્યા છે? એટલે કે ચૂર્ણિકર્તાના સમય સુધી તો ૧૪ પૂર્વી ભદ્રબાહુએ નિર્યુક્તિ રચી હોય તેવું વાતાવરણ નહોતું. ત્યારે તેમણે કોઈપણ ખચકાટ વિના કહેલ કે નિયુક્તિ કર્તા, સૂત્ર કર્તા ભદ્રબાહુને આદિ મંગલરૂપે વંદન કરે છે. પુણ્યવિજયજી મ. સાહેબે એમ પણ કહ્યું છે કે ચૂર્ણિની વ્યાખ્યા થવાથી કોઈ એવી કલ્પના ન કરી શકે કે આ તો પાછળની પ્રક્ષિપ્ત કે ભાષ્ય ગાથા છે. આમ છતાં પણ કોઈ પોતાનો આગ્રહ પોષવા માટે કોઈ પણ કલ્પનાઓ કરતા રહે અને કલ્પનાઓ રહિત મૂળ શુદ્ધ તત્ત્વને દુરાગ્રહના કારણે સ્વીકાર ન કરે બબ્બે અન્વેષણ તટસ્થ વિચારને અવિશ્વાસપૂર્ણ મસ્તકવાળાનું માને અને આત્મ વંચના કરે તો તેનો કોઈ ઉપાય નથી. (૨૭) હિમવત થેરાવલી કે કલ્પ થેરાવલીને નંદીસૂત્ર પૂર્વેની રચના કહેવાથી કાંઈ સિદ્ધ થતું નથી. કલ્પસૂત્ર સંબંધી તર્કોના ઉત્તર દેવા આવશ્યક છે. અન્યથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org