________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૦૦
ટિપ્પણ – સમાચારી વિભાગનું આ વિસ્તૃત સૂત્ર જ ઘડી કાઢેલું લાગે છે. તેનું
સ્પષ્ટીકરણ આઠમી દશાના વ્યાવરથી પ્રકાશિત વિવેચનમાં તથા ચરણાનુયોગના સમાચારી પ્રકરણના ટિપ્પણમાં જોઈ લેવું. મૂર્તિપૂજક તટસ્થ ચિંતક આગમોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી પણ આ પાઠના પ્રક્ષિપ્ત દોષને કબૂલ કરે છે. (૨) “પ્રબંધ પરિજાત' પૃ. ૧માં લખ્યું છે કે “નિશીથ' પૂર્વશ્રુતથી પૃથફ કરાયેલું છે. પૃ. ૨ માં લખ્યું છે કે સંત સતિઓની સંખ્યા વધી, પછી પરિસ્થિતિએ પલટો ખાધો અને અનેક નવી સમસ્યાઓ ઉભી થઈ, જેના કારણે છેદ સૂત્ર (દશા, કષ્પ, વ્યવહાર)ને ઉકેલવામાં બધાં અપર્યાપ્ત રહ્યાં. નવીન પરિસ્થિતિને કાબૂમાં લેવા દોષો અને દુષ્પવૃત્તિઓને રોકવા નિશીથાધ્યયનનું નિર્માણ કરવામાં આવ્યું.
આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ બે સૂત્રોમાં જે પ્રાયશ્ચિત્ત વિધાન કરેલું તે તત્કાલીન નિગ્રંથ શ્રમણ શ્રમણીઓ માટે જ પર્યાપ્ત હતું, પરંતુ ત્યારપછી ટિપ્પણ:- આજના અલ્પજ્ઞ આચાર્યો પણ પોતાના ગચ્છોની વ્યવસ્થા ચલાવવા માટે સાધારણ નિયમોપનિયમ બનાવવામાં લાંબા સમયનો વિચાર કરી તે મુજબ સમાચારી બનાવી શકે છે. વચ્ચેના પૂર્વધરોની રચનાઓ પણ સેંકડો, હજારો વર્ષો સુધી ચાલતી આવી છે અને ચાલશે. ત્યારે ચૌદ પૂર્વી ભદ્રબાહુની રચનાને તથા તેમના વિધાનોને “તત્કાળ માટે જ પર્યાપ્ત હતાં” એમ કહી દેવું ઉચિત છે ખરૂં? શું આપણા સૂત્રોની રચના એટલી કાચી છે, તેમાંય આચાર શાસ્ત્ર અને તે પણ ગણધર કૃત પૂર્વોથી ઉદ્ધત કરેલાં વ્યવસ્થિત સૂત્રોની, એ પણ ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામીની રચના? કમાલ છે વિદ્વાનોની બુદ્ધિને !!
વીર નિર્વાણના ૪00 વર્ષમાં જ કાલદોષ અને અગણિત પરિવર્તન થયેલાં, તો ર૧૦૦૦ વર્ષમાં આગમોનાં શું હાલ થશે? અને કેટલી વાર નવા આચાર શાસ્ત્રો બનાવવાની કલ્પના કરીશું? આવી બધી કલ્પના કરવાનો શો અર્થ?
સમયની શિથિલતાથી શાસ્ત્ર પરિવર્તનની કલ્પના કરવી એટલે ૧૪ પૂર્વી કે ગણધરના મહત્વને અથવા તો “ઉદ્ગતના મહત્વને ન સમજવાથી થવાવાળી એક ભૂલ છે અથવા સમજતા હોવા છતાં પણ ઉદયકર્મની ભૂલભૂલામણીથી તે ચિંતનની તરફ ઉપેક્ષા કે અલક્ષ રહી જવાથી થવાવાળી આ ભૂલ છે. તેને સુધારવાની ખૂબ જ જરૂર છે. (૩) શ્વેતાંબર સાહિત્યમાં વિશાખાગણિનું નામ જ નથી. બારમી શતાબ્દી પછી કોઈ અર્ધદગ્ધ પંડિતે આ ત્રણ ગાથાઓ બનાવીને લેખનકર્તાને આપી દીધી હશે, જેણે ઉદ્દેશક-૨૦ પછી પ્રશસ્તિ રૂપે નિશીથ સૂત્રમાં જોડી દીધી હશે. –પ્રબંધ પારિજાત. ટિપ્પણ:- મુનિશ્રી કલ્યાણવિજયજીનું આ ચિંતન યોગ્ય પ્રતીત થાય છે, આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org