SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ૧ છે. આચારનિષ્ઠા વગેરે અન્ય પૂર્ણ યોગ્યતાઓ પ્રાપ્ત કર્યા વિના કોઈને પણ પ્રમુખ બનીને વિચરણ કરવાની આજ્ઞા દેવી જોઈએ નહીં તથા બીજી પણ કોઈ પ્રકારની અગ્રતાની(મુખી થવાની) જવાબદારી તેને સોંપવી જોઈએ નહીં. આ રીતે જ્ઞાન તથા સુવ્યવસ્થાથી તથા શુદ્ધાચરણથી જિન શાસનની સાચી સુરક્ષા કરી શકાય. આશા જ નહીં પણ પૂર્ણ વિશ્વાસ છે કે મહાત્મા લોકાશાહના આ અસલી જીવન પરિચયનો ખભે-ખભા મેળવીને પ્રચાર પ્રસાર કરવામાં આવશે. સંક્ષેપમાં– (૧) ૧૫ વર્ષની ઉંમરે લગ્ન. (૨) ૨૭ વર્ષની ઉંમરે દીક્ષા. (૩) ૪૯ વર્ષની ઉંમરે પુનઃ દીક્ષા અને ક્રિયોદ્વાર. પણ આચારાંગ નિશીથ ધારણ કરનાર છે आचारप्रकल्प धारिणां चत्वारो भंगा स्तद्या- सूत्र धरो न अर्थ धरः, अर्थ धरो न सूत्र धरः, सूत्र धरोप्यर्थ धरोऽपि, ना सूत्र धरो नाप्यर्थ धरः । अत्र चतुर्थ भंगो शून्यः । आद्यानां त्रयाणां भंगानां तृतीयो भंगवर्ती स उपाध्याय उद्दिश्यते । यतः सः उभयधारी तया गच्छस्य सम्यग् परिवर्धको भवति । (આ મુખ્ય વિધાન થયું) તમારે તિય અંજ વર્લેપ, તથાપિ અર્થ ધારિતયા सम्यक् परिवर्धकत्वात् । नतु आद्यवर्ती । तथाच आह-सूत्रधर वर्जितानां आचार प्रकल्पिकानां गच्छं; गच्छस्य परिवर्धना त्रिके, तृतीय भंगे च । ततस्ते एव उपाध्याया स्थाप्या न प्रथम भंग वर्तिनः। एवं दशा कल्प व्यवहार धरादि पदानां अपि व्याख्या कर्तव्याः । यद्यपि पूर्वमाचार्यादयश्चतुर्दश पूर्वधरादयः आसीरन् तथापि इदानी आचार्या (उपाध्यायादयश्च) युगानुरुपा दशा कल्प व्यवहार धरादयस्तपो नियम स्वाध्यायादिषु उधुक्ता, द्रव्य क्षेत्र काल भावोचित यतना परायणा, भवंति જ્ઞાતવ્યા: - વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-રૂ, સૂત્ર-માર્ગ ટૌકા / સંક્ષિપ્ત અર્થ:- ઓછામાં ઓછું આચાર પ્રકલ્પ શાસ્ત્ર ધારણ કરનારા બહુશ્રુત જ સંઘાડાની આગેવાની ધારણ કરી વિચરણ કરી શકે છે, ઉપાધ્યાય પદ ગ્રહણ કરી શકે છે અને બે અંગ સૂત્ર તથા ૪ છેદ સૂત્રને ધારણ કરનારા જ આચાર્ય પદ ગ્રહણ કરી શકે છે. (૧) અત્રે ધારણ કરવાને, સૂત્ર અને અર્થથી ભંગ બનાવીને સૂચવ્યું છે, કે સૂત્ર અને અર્થ બંનેને જે ધારણ કરે છે, તેજ વાસ્તવિક યોગ્ય ગણાય. તેજ ઉપરોક્ત પદોને ગ્રહણ કરી શકે છે, એ જ રાજમાર્ગ છે. અપવાદથી અર્થાત્ કોઈ પણ સૂત્ર તથા અર્થ ઉભયને ધારણ કરનારા ન મળે તો ફક્ત અર્થ ધારણ કરવાવાળાને (અન્ય યોગ્યાભાવથી) યોગ્ય માની તેને ઉક્ત પ્રતિષ્ઠાના કાર્યો હાથ ધરવા મંજૂરી આપી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy