________________
૧૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત ,
કલ્પસૂત્ર અને અન્ય પટ્ટાવલી સંબંધી જે પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે, તેને માટે એટલું સમજવું જોઈએ કે કલ્પ સૂત્રની મૌલિક રચનાનો સમયકાળ જ એક કોયડા રૂપ છે. તેની રચના અને પ્રચલન તેરમી શતાબ્દી પૂર્વેની નહોતી અને અન્ય પટ્ટાવલીઓની રચના પણ ૧૩મી શતાબ્દી પૂર્વે નહોતી. આ બાબતે દેરાવાસી વિદ્વાનો પણ સહમત છે. આથી નંદીસૂત્રના વર્ણનથી તેને વધારે ગૂંચવવાની જરૂર નથી. નંદી સૂત્રનો રચનાકાળ પ્રાચીન છે તથા તેનું વર્ણન પ્રમાણિક છે. જો કોઈ આવલિકામાં વ્યર્થ ન ગુંચવાય તો નંદીસૂત્રમાં ગુંચવણ ઊભી ન થાય. આ સૂત્રની પચાસમી ગાથામાં પણ ઉપસંહાર કરતા રચનાકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ ઉક્ત વર્ણન સિવાય બીજા કોઈ પણ કાલિક શ્રુત અનુયોગને ધારણ કરવાવાળાં બન્યાં હોય તો એ બધાને નમસ્કાર કરીને હવે હું જ્ઞાનની પ્રરૂપણા કરીશ. નંદીસૂત્ર કર્તાનો ઉદ્દેશ્ય કાલિકશ્રુત અનુયોગ- ધરોને વંદના કરવાનો છે, પટ્ટાવલી આપવાનો નથી. એમ ઉપસંહાર ગાથાથી સ્પષ્ટ થાય છે. આ ઉદ્દેશ્ય સૂત્રના વિષય(જ્ઞાન)ને અનુરૂપ છે. જ્ઞાનની પ્રરૂપણા કરવી છે માટે જ્ઞાની અનુયોગધરોને વંદના કરી છે.
નંદીસૂત્ર માટે તો યુગ પ્રધાનાવલીની કલ્પના કરવાનું જ અવાસ્તવિક છે. કારણ કે આચાર્ય કે ગુરુ પાટ પરંપરા ચાલી શકે, પણ ગુરુ અને શિષ્ય તો થાય અથવા કરવામાં આવે છે, આચાર્ય પદ પણ દેવામાં અને લેવામાં આવે છે. આ બધા એક પછી એક થઈ પણ શકે છે. પરંતુ યુગપ્રધાનો માટે આવો કોઈ પણ વ્યવહાર અથવા પરંપરા સંભવી શકે નહીં. એ તો પોતાના ગુણો વડે અથવા તો જિનશાસનની પ્રભાવના કરવાથી, ક્રમથી પણ તેમજ પરંપરા રહિત પણ ગમે
ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે. એટલે યુગ પ્રધાનોની પાછળ આવલિકા લગાડી તેમને ગુંચવવાનો કોઈ અર્થ નથી. નંદીસૂત્ર વર્ણિત કાલિક શ્રતધરોને યુગ પ્રધાન સમજી લઈએ તો તે પણ કાંઈ અનુચિત નથી જ. કેમ કે અનુયોગ અને શ્રુતને ધારણ કરનારા વિખ્યાત બહુકૃતોનું યુગપ્રધાન હોવું સ્વાભાવિક છે, પરંતુ તેઓના ક્રમના ચક્કરમાં પડવું જોઈએ નહીં.
ક્રમ અથવા આવલિકાના આગ્રહમાં પડવાથી અનેક વિકલ્પ-કલ્પનાઓ ઉંમર બાબતની, વર્ષોની અને તે વખતના જીવન-વર્ષોની ઉંમર વગેરે લઈને કરવી પડે. તેના અનુભવ માટે જુઓ– “વીર નિર્વાણ સંવત્ તથા જૈન કાળ ગણના” પંડિત મુનિ શ્રી કલ્યાણવિજયજી દ્વારા સંપાદિત. સાર:- નંદી સૂત્રમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત અને તે સ્થળ પર વંદન સ્મરણ ગુણગ્રામ કરવાને યોગ્ય મહાપુરુષોનું સ્મરણ-વંદન તથા ગુણ કીર્તન કરવામાં આવેલ છે. અંતિમ વંદનીય શ્રી દુષ્યગણિ જ દેવદ્ધિના પરમ ઉપકારી ગુરુ હતા, તેમાં સ્ટેજ પણ શંકા કરવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org