________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમનવનીત
પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં કટકે કટકે સામગ્રી ઉપલબ્ધ છે, તેમાં પણ વખતોવખત વિકૃતિ તથા પ્રક્ષેપદોષ થયેલ છે. | Sા ઐતિહાસિક ગંભીર સમસ્યાઓનું સમાધાન કરી
(નંદી સૂત્ર તથા પાટ પરંપરા વિચારણા) નંદી સૂત્રના રચનાકાર દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને માટે પ્રાયઃ બધા સંમત છે. તે સૂત્રમાં જ્ઞાનના વિષયના પ્રારંભની ૫૦ ગાથાઓમાં શ્રમણ પુંગવોની સ્તુતિ, ગુણ ગ્રામ તથા વંદન કરવામાં આવ્યાં છે. જેના સંબંધમાં વિદ્વાન ઇતિહાસજ્ઞ કેટલાય પ્રકારની વિચારણાઓ પ્રગટ કરે છે. સાથે સાથે તેની તુલના કલ્પસૂત્ર તથા અન્ય પટ્ટાવલીઓ વગેરેની સાથે પણ કરે છે. પરંતુ તે બધી વિચારણાઓ કરવા છતાં પણ જ્યાં સુધી તેનો (સૂત્રનો) મૌલિક ઉદ્દેશ્ય શું છે તે પકડમાં આવે નહીં ત્યાં સુધી એ સંબંધે સમાધાન કરવા જતાં, સમસ્યાઓ, વધારે જટિલ બન્યા કરે છે.
નંદી સૂત્ર સિવાય દેવર્ધ્વિગણિની અન્ય કોઈ રચના કે સંકેત મળતા નથી કે સંવત ભેદ ક્યારે, કેમ પડ્યાં? કોણે ગુર્વાવલી લખી કે પાટ પરંપરા લખી કે યુગપ્રધાનાવલી લખી કે સ્થવિરાવલી લખી?
કઈ પરંપરા દેવદ્ધિગણિની છે અને કઈ કાલકાચાર્યની છે એવો પણ કોઈ ઉલ્લેખ મળતો નથી. માથુરી યુગપ્રધાન પટ્ટાવલી છે, કે વલભી યુગપ્રધાન પટ્ટાવલી છે કે કેટલા વર્ષ સુધી કોની પાટ પરંપરા ચાલી, એનું વિધિવત્ વ્યવસ્થિત પ્રાચીન ઉલ્લેખવાળું લખાણ પણ નથી. એટલે આ અંગેની કલ્પનાઓ મોટેભાગે પાછળથી કરવામાં આવેલી છે અને એટલા માટે જ પૂરું સત્ય તે બાબતમાં સમજવું એ વિદ્વાનો માટે કોયડા સમાન બન્યું છે.
એક બાજુ વલભીયુગ પ્રધાનાવલી નાગાર્જુન તથા ભૂતદિન આ બંનેના ક્રમશઃ ૭૮ અને ૭૯ વર્ષ કરીને કાલકાચાર્ય સુધી પહોંચે છે. તો બીજી બાજુ માથુરી યુગ પ્રધાનાવલી આ બંનેને સામેલ કરીને તે જ કાળમાં(૧૫૦ વર્ષમાં) બીજા પાંચ મહાપુરુષોનો સમાવેશ કરે છે ત્યારે દેવર્ધ્વિગણિ સુધી પહોંચે છે.
જ્યારે કલ્પ સ્થવિરાવલી આ સાતેય મહાપુરુષોમાં એકેયના નામ વિના, અન્ય નામો સાથે સાંડિલ્ય સુધી પહોંચે છે અને ત્યાં વળી દેવદ્ધિને સાંડિલ્યના શિષ્ય પણ માન્યા છે !! અને કાલભાચાર્યને દેવદ્ધિના સમકાલીન માનેલ છે.
વીર નિર્વાણ સંવત ૮૪૦ની આસપાસ માથુરી-વલભી વાંચના થઈ જેમાં સ્કંદિલ અને નાગાર્જુનની મુખ્યતા વધારે જણાય છે. નંદીસૂત્રની રચના વીર નિર્વાણ ૯૯૦ની આસપાસની માનવામાં આવે છે. સ્કંદિલથી દેવર્ધ્વિગણિ સુધીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org