________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત |
બને મુનિરાજ:- પંડિતજી, આપનું જ્ઞાન તો અમારી વિવેકબુદ્ધિને પણ વિકસિત કરે તેવું છે. આ માટે આપનો મહાન ઉપકાર. આવા શ્રાવક તો જિનશાસનના તીર્થરૂપ છે. તેમને શાસ્ત્રના પઠન માટે દોષ હોઈ ન શકે, ઉલટું તેથી મહાન લાભ જ થાય તેમ છે. એટલે વિવેક એટલો જ સમજવો જોઈએ કે યોગ્ય સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા શાસ્ત્રનું અધ્યયન કરે અથવા કરાવે, તો કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે, એવું આપનું કહેવું સત્ય છે. CLIC D જ્ઞાન-ગોષ્ઠીઃ મુખવસ્ત્રિકા વિચારણા છો.) કેવલમુનિ :- ધુરંધર વિજયજી! આપ મુખવસ્ત્રિકા હાથમાં કેમ રાખો છો? બાંધતા કેમ નથી. ધુરંધર વિજયજી :- કેવલ મુનિ સાહેબ! શાસ્ત્રમાં મુખવસ્ત્રિકા રાખવાનું કહ્યું છે, દોરીથી બાંધવાનું નથી કહ્યું એટલે બાંધવાનું ખોટું છે. કેવલ મુનિ :- શાસ્ત્રોમાં તો સાધુઓને ચોલપટ્ટો વાપરવાનું કહ્યું છે તો તમે આટલી મોટી દોરી કેમ બાંધો છો સાધ્વીઓ પણ ચોલપટ્ટો પહેરવામાં દોરી લગાડે છે, તેના બદલે ફક્ત લુંગીની જેમ જ કેમ નથી બાંધી લેતા? ધુરંધર વિજયજી – બોલવાથી મુહપત્તિ પર થુંક લાગે છે, જેમાં સમૃદ્ઘિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે, જેનાથી જીવ હિંસાનું પાપ લાગે છે એટલે પણ અમે મુહપત્તિ નથી બાંધતા પણ હાથમાં રાખીએ છીએ. કેવલ મુનિ :- ધુરંધર વિજયજી! શાસ્ત્રમાં કહેલ ચૌદ પ્રકારના સંમૂર્છાિમ મનુષ્યના બોલમાં, તે વડીનીત, પેશાબ, કફ, શ્લેષ્મ, લોહી, રસી (પ), વીર્ય,
ક્લેવર વગેરે બધા નામો સ્પષ્ટ કહ્યાં છે. ઘૂંકનું નામ તો કફ, શ્લેષ્મની સાથે પણ નથી કહ્યું એટલે ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ કહેવી તે અતિપ્રરૂપણા દોષરૂપ છે. ધુરંધર વિજય – પંડિત ન્યાયચંદ્રજી! અમે તો ઘૂંક અને પરસેવામાં જીવોત્પતિ માનીએ છીએ, આપે મુખવસ્ત્રિકા વિશે આગમથી શું જાણું છે? આપની સમજણ સ્પષ્ટ કરશો? પંડિત ન્યાયચંદ્રજી – મન્થણં વંદામિ ! આ ઉપકરણના નામથી જ એ સ્પષ્ટ નિર્દેશ થાય છે કે તે મુખ પરની વસ્તુ છે, હાથની કે કમરની નહીં. મુખવસ્ત્રિકા તથા રજોહરણ એ બે ઉપકરણ જિનકલ્પીઓએ તથા અચેલ ભિક્ષુએ પણ અવશ્ય રાખવા જોઈએ. આ બંને જૈન લિંગના આવશ્યક ઉપકરણો છે અને બંને સંયમ રક્ષાર્થ ઉપકરણ છે, શરીર રક્ષાર્થે નહીં.
ભગવતી સૂત્રમાં ઉઘાડા મોંએ બોલાતી ભાષાને સાવધ ભાષા કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org