SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીતા (ર) વરદામતીર્થ ૯૧૨,૦૦૦ માઈલ દૂર છે. (૩) પ્રભાસતીર્થ ૩,૮૯,૯૨,૦૦૦ માઈલ દૂર છે. (૪) ગંગા સિંધુ નદી ૮૦,૦૦,000 માઈલ દૂર છે. (૫) બંને ગુફા ૧,00,00,000 માઈલ દૂર છે. વર્તમાન જ્ઞાત દુનિયાનો ક્ષેત્રાવબોધ :- આપણી વર્તમાન જ્ઞાત ભ્રમણ સંચરણશીલ દુનિયા વૈજ્ઞાનિકો દ્વારા ર૪,૦૦૦ માઈલ સાધિકની પરિધિવાળી માનવામાં આવી છે. જે આગમિક યોજનાની અપેક્ષા કુલ અધિકતમ યોજન પરિમાણ માત્રની છે. અથવા જેટલા પણ માઈલની આંકવામાં આવે છે એ માઈલને ૮000 વડે ભાગાકાર કરવાથી આગામિક ક્ષેત્રીય યોજન મળી આવશે. અતઃ ૩-૪ કે ૫-૧૦ યોજનમાં ફરી-ફરીને શોધ કરીને જ સંતુષ્ટ રહેવાવાળા વૈજ્ઞાનિકો, ૧૧૪ કે ૧૦૦૦ અથવા ૧રપ૦ યોજનની કલ્પના અને પુરુષાર્થ માટે તત્પર પણ થઈ શકતા નથી. આ પૃથ્વી વાસ્તવમાં ચન્દ્રની સમાન યા પ્લેટની સમાન ચપટી ગોળ છે. નહીં કે દડાની સમાન. વૈજ્ઞાનિક લોકોએ દડા(બોલ)ની સમાન ગોળ હોવાની કલ્પના કરી રાખી છે. જે ચર્મ ચક્ષુઓના સ્વભાવના કારણે થનારા એક ભ્રમ માત્ર વૈજ્ઞાનિક માનસની સ્થિતિ – વૈજ્ઞાનિક લોકોના માનવાનો કે શોધવાનો હજી કોઈ અંત આવ્યો નથી. અર્થાત્ એને ભ્રમણ કરતા બીજો પણ પૃથ્વીનો હિસ્સો મળી જાય તો એ એને માન્ય કરી શકે છે. આ વૈજ્ઞાનિક લોકો ઉત્તર દિશાનો અંત લેવાનો પરિશ્રમ કરવો પણ મૂર્ખતા ભર્યો પ્રયાસ માને છે. અર્થાત્ ઉત્તર દિશામાં એમને પહાડે અને બરફથી યુક્ત વિકટ ક્ષેત્ર મળે છે, જેથી તેના યાંત્રિક સાધનોની શક્તિ કુંઠિત થઈ જાય છે અને શેષ ત્રણ દિશાઓમાં સમુદ્ર(જળ વિભાગ જ) આગળ જવા પર હતાશ કે નિરાશાના ભાવો ઉત્પન્ન કરી દે છે. માટે વૈજ્ઞાનિક લોકો પોતાની કલ્પિત ૨૪૦૦૦ માઈલવાળી પૃથ્વીના ઘેરાવામાંજ પરિક્રમા કરે છે. કેમ કે લાખો, કરોડો માઈલનું અંતર પગપાળા વા વાયુયાન, વિમાન, રોકેટ આદિથી કેવી રીતે પાર કરી શકાય? આ જ કારણે ઉક્ત નિર્દિષ્ટ લાખો કરોડો માઈલ દૂર રહેલા તીર્થ આદિનો પતો લગાવવાનું કે મેળવવાનું અત્યંત કઠિન થઈ ગયું છે. આ કારણે તે ઉક્ત શાશ્વત સ્થાનો દક્ષિણ ભરતખંડમાં હોવા છતાં પણ આપણા માટે એ સ્થાનોનું ગમનાગમન અવરુદ્ધ છે. કેમ કે જેટલી (પ-૧૦ યોજન) જ્ઞાત પૃથ્વી વર્તમાન દુનિયા છે એનાથી સેંકડો ગણા ક્ષેત્ર આગળ જવા પર જ તે ઉક્ત તીર્થ આદિ શાશ્વત સ્થાન આવી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004930
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2002
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy