SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, (આકાર) અલગ-અલગ છે. તેનું વર્ણન પુષ્પ ૨૪ જીવાભિગમસૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં કરેલ છે. વૈક્રિય શરીરઃ- એકેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય એમ વૈક્રિયશરીરના મૂળભેદ બે છે. ગતિની અપેક્ષા ચારેય ગતિમાં હોય છે– (૧) ચૌદ પ્રકારના નારકીને, (૨) બાદર વાયુકાયના પર્યાપ્ત અને પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્ત એમ છ તિર્યંચને. (૩) એક કર્મભૂમિજ મનુષ્યના પર્યાપ્તાને, (૪) ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી અને રવૈમાનિક(૧ર +૯+૫) એમ ૪૯ દેવોના પર્યાપ્ત અપર્યાપ્ત ૯૮ દેવોને વૈક્રિય શરીર હોય છે. આ રીતે ૧૪ + + ૧+ ૯૮ = ૧૧૯ જીવોને અહીં વૈક્રિય શરીરનું કથન છે. તે જીવોના સંસ્થાન અને અવગાહના આદિ આ સૂત્રમાં વર્ણવેલ છે. જેને આ જ પુસ્તકમાં જીવાભિગમ સૂત્ર સારાંશના વર્ણનમાં તેમજ ચાર્ટમાં જઓ. આહારક શરીર – તેનો કેવલ એક જ પ્રકાર છે. સંજ્ઞી મનુષ્ય પર્યાપ્ત અર્થાત્ કર્મભૂમિ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સયત. તૈજસ-કાર્પણ શરીર – ચારગતિના જીવોના જેટલા ભેદ હોય છે. તેટલા જ તૈજસ-કાશ્મણ શરીરના પ્રકાર હોય છે, તેથી તેના પ૩ ભેદ થાય છે. પ્રસ્તુત પ્રકરણ અનુસાર તેના ૧૭–૧૬૭ ભેદ થાય છે. મનુષ્યના ૯ ભેદ મુખ્ય છે. સમસ્ત સંસારી જીવોને આ બંને શરીર હોય છે. તે બંનેના સંસ્થાન તેમજ અવગાહના એક સમાન હોય છે. તે ઔદારિક, વૈક્રિય, આહારક ત્રણે શરીરોની સાથે અવશ્ય હોય છે. મારણાંતિક સમુદ્યામાં તેમજ ભવાંતરમાં જતા સમયે માર્ગમાં આ ત્રણ શરીરોના અભાવમાં સ્વતંત્ર પણ રહે છે, તેથી તેની અવગાહના બને અપેક્ષાથી છે– (૧) ત્રણે શરીરોની અવગાહના જેટલી અવગાહના (૨) ત્રણે શરીરથી સ્વતંત્ર મારણાંતિક સમુઘાતમાં અવગાહના. ત્રણે શરીરોની અવગાહના તેના વર્ણનમાં કહેલ અનુસાર છે. બંનેની સ્વતંત્ર અવગાહનાની લંબાઈ ચાર્ટ પ્રમાણે છે, પહોળાઈ બધાની શરીર પ્રમાણ છે. | તેજસ કાર્મણ શરીર જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના સમુચ્ચય જીવ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બધી દિશાઓમાં લોકાન્તથી લોકાન્ત સુધી. એકેન્દ્રિય જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બધી દિશાઓમાં લોકાત્તથી લોકાત્ત સુધી. વિગલેન્દ્રિય જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિચ્છલોકથી | લોકાન્ત સુધી ચારે ય બાજુ. જઘન્ય ૧૦૦૦ યો. સાધિક, ઉત્કૃષ્ટ નીચે સાતમી નરક સુધી, ઉપર પંડક વનની વાવડીઓ સુધી, તિ સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી. - - - - નારકીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004929
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy