________________
વીંછીના વિષનું સામર્થ્ય અર્ધ ભરત પ્રમાણ છે, દેડકાનું પૂર્ણ ભરત પ્રમાણે છે, સર્પનું જંબુદ્રીપ પ્રમાણ અને મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ વિષ હોય છે. અર્થાત્ આટલા વિશાલ પુદ્ગલ સ્કંધને પ્રભાવિત કરવાનું ઉત્કૃષ્ટતમ સામર્થ્ય હોય છે.
(૨) છદ્મસ્થ વ્યક્તિ દશ સ્થાનોને પૂર્ણરૂપે જાણી જોઈ શકે નહીં. જેમ કે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (પ) પરમાણુ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ કેવલી બનશે (૧૦) આ મુક્ત થશે. આ દશેયને કેવલી ભગવાન પૂર્ણરૂપે જોઈ-જાણી શકે છે. જ્ઞાન અજ્ઞાન વર્ણન ઃ જ્ઞાન લબ્ધિઃ—
પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું વર્ણન નંદીસૂત્ર અનુસાર છે. જેના માટે જુઓ—
સારાંશ ખંડ-૭.
વિભંગજ્ઞાન વિભિન્ન આકારવાળા હોય છે. જેમ કે ગ્રામ, નગર, વૃક્ષ, પર્વત, ક્ષેત્ર, સ્તૂપ, હાથી, ઘોડા, મનુષ્ય, બળદ, પશુ, પક્ષી, દેવતા, વાંદરા આદિ કોઈ પણ આકારના હોઈ શકે છે. તે કોઈ પણ ક્ષેત્ર, ઘર,ઘરનો અંશ, અન્ય વસ્તુનો અંશ માત્ર હોઈ શકે છે.
જીવોમાં ૨,૩,૪ અને એક જ્ઞાન હોઈ શકે છે અને બે અથવા ત્રણ અજ્ઞાન હોઈશકે છે.
જઘન્ય મતિ શ્રુત જ્ઞાન યા મતિશ્રુત અજ્ઞાન બે અવશ્ય હોય છે. અધિ મન:પર્યવ અને વિભગજ્ઞાન વિકલ્પથી હોય છે. ત્યારે ૩ અથવા ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન હોય છે. અને જ્યારે કેવલજ્ઞાન હોય છે ત્યારે અન્ય ૪ જ્ઞાન રહેતા નથી. માટે એક જ્ઞાન જ હોય છે.
પાંચ જ્ઞાન અને પાંચ અજ્ઞાનની કાયસ્થિતિ, અંતર અને અલ્પબહુત્વનું વર્ણન જીવાભિગમસૂત્ર સારાંશ ખંડ–દ્ર માં છે.
-
પર્યવની અપેક્ષા અલ્પ બહુત્વ :– (૧) બધાથી અલ્પ મનઃપર્યવજ્ઞાનનાં (૨) અવધિજ્ઞાનનાં અનંતગુણા (૩) શ્રુતજ્ઞાનના અનંતગુણા (૪) મતિજ્ઞાનનાં અનંતગુણા (૫) કેવલ જ્ઞાનનાં અનંતગુણા.
(૧) બધાથી અલ્પ પર્યવ વિભંગજ્ઞાનનાં (૨) શ્રુતઅજ્ઞાનનાં અનંતગુણા (૩) મતિઅજ્ઞાનનાં અનંતગુણા
(૧) જીવદ્વાર :– પહેલી નરકના નારકી તથા ભવનપતિ અને વ્યંતર દેવોમાંથી કોઈને બે અજ્ઞાન અને કોઈને ત્રણ અજ્ઞાન હોય છે. માટે ત્રણ અજ્ઞાનની ભજના અને ત્રણ જ્ઞાનની નિયમા. બાકી નારકી દેવતામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની નિયમા. પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન નથી, માટે ત્રણ જ્ઞાનની નિયમા. પાંચ સ્થાવરમાં ૨ અજ્ઞાનની નિયમા. ત્રણ વિકલેન્દ્રિયમાં ૨ જ્ઞાન ૨ અજ્ઞાનની નિયમા, તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. મનુષ્યમાં પ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના.
૧
www.jainelibrary.org
ભગવતી સૂત્રઃ
Jain Education International
: શતક-૮
For Private & Personal Use Only