________________
-
-
-
-
=
-
-
નોધઃ- જે બોલમાં જેટલા દંડક હોય તેટલાજ સમજવા. (એક ભંગ) અભંગ= સપ્રદેશી ઘણાં, અપ્રદેશી પણ ઘણાં.ત્રણ ભંગ = ૧.બધા સપ્રદેશ ર. સપ્રદેશી અનેક અપ્રદેશી એક ૩. સપ્રદેશી અનેક અપ્રદેશી અનેક. છભંગ=૧. બધાંસપ્રદેશ ર.બધા અપ્રદેશી ૩. સપ્રદેશી એક અપ્રદેશી એક ૪. સપ્રદેશી એક અપ્રદેશી અનેક ૫. સપ્રદેશી અનેક અપ્રદેશી એક ૬, સપ્રદેશી અનેક અપ્રદેશી અનેક જો બોલ સ્વયંઅશાશ્વત હોયતો ભંગ થાય છે. જે બોલમાં સપ્રદેશી શાશ્વત હોય અને અપ્રદેશી અશાશ્વત હોય તો તેમાં ૩ ભંગ થાય છે.જે બોલમાં બે શાશ્વત હોય તો તેમાં અભંગ (એક ભંગ) હોય છે. (૨) બધાં પંચેન્દ્રિય પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનને જાણી શકે છે. તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની દેશ પ્રત્યાખ્યાની હોઈ શકે છે. મનુષ્ય દેશ પ્રત્યાખ્યાની અને સર્વપ્રત્યાખ્યાની બન્નેજથઈશકેછે. ૨૪ દંડકમાં અપ્રત્યાખ્યાની તોહોય જ છે. ૨૩ દંડક અપ્રત્યાખ્યાન નિવર્તિત આયુષ્યવાળા છે.વૈમાનિક દેવ પ્રત્યાખ્યાન આદિ ત્રણેથી નિષ્પાદિત આયુષ્યવાળા હોય છે.
| ઉદ્દેશક : ૫ તમસ્કાય –અસંખ્યાતમોઅરુણોદયસમુદ્ર છે. તેમાંઆવ્યંતરવેદિકાથી૪૨૦૦૦ યોજના સમુદ્રમાં જતાં ત્યાં લવણ શિખાની જેમ એક સમભિત્તિ રૂપ તમસ્કાય ઉઠેલ છે. જે સંખ્યાત યોજનની જાડી છે. અરુણોદય સમુદ્ર ચૂડી આકારે છે, જેથી તે તમસ્કાય પણ વલયાકારમાં ઉઠેલ છે. ૧૭ર૧ યોજન સીધી ઊંચે ગઈ છે. ત્યારબાદ તિરછી વિસ્તત થતી ઊંચે ગઈ છે. પાંચમાં દેવલોકનાં ત્રીજારિષ્ટપ્રત્તર સુધી છે. આ સંપૂર્ણ સમસ્કાય ઉંધા રાખેલા માટીના ઘડાની જેમ છે. તેને જ ફકફડ પંજર આકાર કહેવાય છે.
પાણીનાં અનેક પરિણામ હોય છે– પુંઅર, ઓસ, બાદલ, લવણશિખા આદિ. તે જ રીતે આ સમસ્કાય પણ પાણીનું એક વિશેષ પરિણામ છે. જે લવણ શિખાની સમાન શાશ્વત (સદા રહેનાર) છે. લવણ શિખાનો તો ૧૬૦૦૦ યોજના પછી અંત છે. પરન્તુ તમસ્કાયનો અંત પાંચમાં દેવલોકે છે.
તમસ્કાય ૧૭ર૧ યોજન સુધી સંખ્યાત યોજન જાડી છે, આગળ અસંખ્ય યોજનની જાડાઈમાં છે. એમાં અંધકાર ધૂઅરથી પણ અતિ પ્રગાઢ હોય છે અર્થાત્ આ અંધકારસમૂહરૂપ છે. તેથી તેનું નામ પણજલની પ્રમુખતાથી નથઈને અંધકારથી “તમસ્કાય” કહેવામાં આવેલ છે.
જે રીતે લવણશિખા લવણ સમુદ્રનો વિભાગ છે, તે જ રીતે આ સમસ્કાય પણ અરુણોદય સમુદ્રના વિભાગ રૂપ જ છે.
તમસ્કાયમાંથી થઈને દેવોને માર્ગ પાર કરવા માટે જવું આવવું આવશ્યક થઈ જાય છે ત્યારે તેને પાર કરે છે. તે દેવ પણ તેમાંથી ભયભીત સંભ્રાત થઈને શીધ્ર નીકળે છે. કોઈ દેવ એમાં વાદળ, વિજળી, ગર્જના, વર્ષા પણ કરી શકે છે. એમાં ભગવતી સૂત્રઃ શતક-૬
૯ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org