________________
-
(૩) વેદના નિર્જરાથી ચાર ભાંગા જીવોમાં હોય છે– ૧. કેટલાક મહાવેદના મહાનિર્જરાવાળો હોય છે. જેમ કે પડિમાધારી અણગાર. ૨. કેટલાક જીવ મહાવેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે– નૈરયિક. ૩. કેટલાક જીવ અલ્પવેદના મહાનિર્જરાવાળા હોય છે. જેમકે-શેલેશી પ્રતિપન્ન (૧૪માં ગુણ સ્થાનવાળા) ૪. કેટલાક જીવ અલ્પ વેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે– અનુત્તર દેવ.
ઉદ્દેશક : ૨ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮માં પદના પ્રથમ ઉદ્દેશકની જેમ અહીં આહાર સંબંધી વર્ણન જાણવું. જુઓ સારાંશ ખંડ–5.
ઉદ્દેશક : ૩ (૧) મહાન ક્રિયા, મહાન આશ્રવવાળાના કર્મોનો સંગ્રહ નિરંતર થતો રહે છે. અલ્પક્રિયા અલ્પ આશ્રવવાળાના કર્મો નિરંતર ક્ષીણ થતા રહે છે. જેમ નૂતન વસ્ત્ર ઉપયોગમાં લેતાં ધીરે ધીરે મસોતાના રૂપમાં ફેરવાઈ જાય છે અને ગંદા વસ્ત્ર ક્ષાર આદિમાં ભીંજાવાથી અને પાણીમાં ધોવાથી ધીરે ધીરે મેલનીકળી જતાં સ્વચ્છથઈ જાય છે. તેવી જ રીતે કર્મોનો સંગ્રહ અને ક્ષય થાય છે.
વસ્ત્ર આદિપદાર્થોનો પુદ્ગલોપચય અને અપચય પ્રયોગસા(પ્રયત્નથી) અને વિસસા(સ્વાભાવિક) બન્ને પ્રકારનાં થાય છે. જીવના કર્મોનો ઉપચય અપચય એક પ્રયોગસા જ થાય છે, વિસસા થતો નથી.
વસ્ત્રનો પુગલોપચય સાદિ સાંત હોય છે. જીવનો કર્મબંધ ત્રણ પ્રકારનો છે– ૧. અનાદિ અનંત-અભવીનો પરંપરાથી, ર. અનાદિ સાંત– ભવનો પરંપરાથી, ૩. સાદિ સાત ઈરિયાવહિ બંધ અથવા પ્રત્યેક કર્મની અપેક્ષાએ સાદિ સાત બંધ થાય છે. પરંપરાની અપેક્ષાએ બે ભાંગા થાય છે. સાદિ અનંતનો ભાંગો કર્મબંધમાં હોતો નથી.
વસ્ત્ર સાદિ સાંત હોય છે. જીવ પણ ગતિ, દંડક આદિની અપેક્ષાએ સાદિ સાંત છે. સિદ્ધ સાદિ અનંત છે. ભવસિદ્ધિક લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાંત છે અને અભવસિદ્ધિક સંસારીની અપેક્ષાએ અનાદિ અનંત છે. (ર) આઠે કર્મોનીબંધ, સ્થિતિ, અબાધા કાલપ્રજ્ઞાપના પદ૨૩માં કહેવામાં આવેલ છે. જુઓ સારાંશ ખંડ– (૩) અબાધા કાલના સમય સુધી કર્મોની નિષેક રચના(કર્મોની સ્થિતિ સાથે કર્મ ભગવતી સૂત્રઃ શતક-૬
| | | ૭૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org