________________
મનુષ્યમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મ અસંયમ અને આત્મ સંયમ બન્નેથી જીવે છે. આ પ્રમાણે સલેશી, અલેશી અને સક્રિય, અક્રિય બન્ને થાય છે. અક્રિય નિયમા સિદ્ધ બને છે. બાકી ભજનાથી સિદ્ધ થાય છે. વૈમાનિક દેવ આત્મ સંયમથી પણ ઉત્પન્ન થાય છે. અસંયમથી પણ ઉત્પન્ન થાય છે. આ પહેલો ઉદ્દેશો પૂર્ણ થયો. બીજો, ત્રીજો, ચોથો ઉદ્દેશો જ્યોજ, દ્વાપર, કલ્યોજ યુગ્મના રાશિ યુગ્મ છે. ઉત્પાત સંખ્યામાં અંતર છે. બાકી વર્ણન ૨૪ દંડકના પહેલા ઉદ્દેશા સરખા છે.
લેશ્યા દષ્ટિ વગેરે જ્યાં જેટલી હોય એટલી એ દંડકમાં પૃચ્છા કરવી. જેથી દંડક અને જીવના બોલ ઓછા વધુ થશે. પરંતુ પ્રત્યેક લેશ્યાના ઉદેશા ૪-૪ હોય છે અને ચાર સમુચ્ચય ઉદ્દેશા છે. એમ કુલ ૬ × ૪ + ૪ = ૨૮ ઉદ્દેશા થયા. ભવીના પણ ૨૮ ઉદ્દેશા આ પ્રમાણે છે. અભવીમાં મનુષ્ય અને નરકનું કથન સરખુ છે. કેવળ ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતાનો ફર્ક છે.
સમ્યગ્દષ્ટિનું કથન પહેલા ઉદ્દેશા સરખુ છે. ર૮ ઉદ્દેશા ભવીના સરખા છે. મિથ્યા દૃષ્ટિનું વર્ણન અભવીની સમાન ૨૮ ઉદ્દેશામાં છે. કૃષ્ણ પક્ષના ૨૮ ઉદ્દેશા અભવી સરખા છે. શુક્લ પક્ષીના ભવી સરખા ૨૮ ઉદ્દેશા છે. આ કુલ ૨૮ ૪ ૭ = ૧૯૬ ઉદ્દેશા પૂર્ણ થયા. || શતક : ૪૧ સંપૂર્ણ ॥
વિશેષ :– શતક ૩૧ થી ૪૧ સુધી યુગ્મ, શ્રેણી, મહાયુગ્મ અને રાશિ યુગ્મના કથનની સાથે અનેક દ્વારોથી વિષયોનુ વર્ણન કર્યુ છે. તત્ત્વ વિષય એમાં વધારે પહેલા આવેલ છે. નવા તત્ત્વ પણ છે. પરંતુ પહેલાના શતકોની અપેક્ષા અગિયાર શતકમાં બહુ જ ઓછા છે. વિશેષ પદ્ધતિથી, યુગ્મ વિગેરેના અવલંબનથી, પ્રાયઃ પહેલા આવેલ વિષયોનો જ બોધ કરાવ્યો છે. એટલે એમાં વિશેષ પદ્ધતિ, શતક ઉદ્દેશાનો હિસાબ, યુગ્મ મહાયુગ્મ વિગેરેની ગણત્રી, ધ્યાન રાખીને સમજવા યોગ્ય છે. એને સમજવાથી કંઈક નવા તત્ત્વ સહજ પ્રાપ્ત થઈ શકે છે. તે આ શતકોની વિશેષતા છે.
૩ર શતક પછી ૩૩ થી ૩૯ શતક સુધીના ૭ શતકમાં અંતર શતક ૧૨-૧૨છે. ૪૦ માં શતકમાં ૨૧ અંતર શતક છે. ૪૧ માં શતકમાં અંતર શતક નથી. આ પ્રમાણે આ ૩ર + (૧૨×૭)૮૪+૨૧+૧=૧૩૮ કુલ શતક છે. ૪૧મૂળ શતક છે. ઉદ્દેશકોની સંખ્યા ૧૦. ૧૨. ૩૪. ૧૧ વિગેરે છે. બધા મળી ૧૯૨૫ કહેવાયા છે. પરંતુ ઉપલબ્ધ ૧૯૨૩ જ થાય છે. બે સંખ્યાનો લિપિ પ્રમાદ અથવા કાળ દોષથી અથવા સમજ ભ્રમથી અંતર થયું છે. ગોશાલક વર્ણનનું શતક પંદરમું એક દિવસમાં વાંચવું જોઈએ. બાકી રહી જાય તો બીજા દિવસે આયંબિલ કરીને વાંચવું જોઈએ અને તો પણ બાકી રહી જાય તો ત્રીજે દિવસે આયંબિલ કરીને વાંચવુ જોઈએ.
ભગવતી
૨૦૦
Jain Education International
સૂત્ર સારાંશ સંપૂર્ણ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org