________________
શતક-૪૦ : સંજ્ઞી મહાયુગ્મ
આ શતકમાં ૨૧ અંતર શતક છે. કારણ કે સન્ની પંચેન્દ્રિયમાં લેશ્યા છે. એટલે સમુચ્ચય જીવના ૭, ભવીના ૭ અભવીના ૭ એમ ૨૧ શતકના ૧૧-૧૧ ઉદ્દેશા હોવાથી ૨૩૧ ઉદ્દેશા છે. ૧૬ મહાયુગ્મ અને એના એક એક ઉત્પાતની અપેક્ષા ૩૩-૩૩ દારોનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે દ્વાર ૩૫ માં શતકમાં કહ્યા છે.
આ સન્ની શતકમાં ૧૨ મા ગુણસ્થાન સુધી બધા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ્ચ મનુષ્ય વિગેરેનો સમાવેશ છે. એટલે કેટલાક નિમ્ન ધારોનું વર્ણન આ પ્રમાણેછે—આગતિ = બધા જીવ સ્થાનોથી કર્મ બંધ = ૭ની ભજના વેદનીયની નિયમા (૧૨ ગુણસ્થાન જ છે, એટલે). કર્મઉદય–૭નીનિયમા મોહનીયની ભજના. ઉદીરણા—દ્ર કર્મની ભજના. નામ, ગૌત્રની નિયમા. જ્ઞાનઃ –૪ જ્ઞાન, ૩ અજ્ઞાન. વિરતિ ત્રણે છે. ક્રિયા—સક્રિય જ છે. બંધક–સપ્ત વિધ અષ્ટવિધ, છઃ વિધ(ષડ્ વિધ) અને એક વિધ બંધક પણ છે. અબંધક નથી. સંજ્ઞા-૫, કષાય ૫ (અકષાયી) આ પ્રમાણે અવેદી સહિત ૪ વેદ છે. વેદના બંધક, અબંધક બન્ને છે. સઇન્દ્રિય છે. અનિન્દ્રિય નથી. યોગ ૩છે. અયોગી નથી. અનુબંધ અનેક સો સાગર સાધિક છે. કાયસંવેધ—સમુચ્ચય પંચેન્દ્રિય હોવાથી કાયસંવેધ થતા નથી. એક દંડક હોય તો કાયસંવેધ હોય છે. સમુદ્દાત ૬, ગતિ–સર્વત્ર.
બીજાઉદ્દેશામાં૧૭બોલોમાં તફાવત(ણાણતા) થાય છે.જેમ કે—(૧) અવગાહના-જઘન્ય હોય છે. (૨) આયુનો અબંધ, ૭ નો બંધ. (૩) વેદના– બન્ને. (૪) ઉદય આઠે કર્મનો. (૫) ઉદીરણા આયુની નહીં. વેદનીયની ભજના. બાકી ; નિયમા. (૬) દૃષ્ટિ–૨, (૭) યોગ–૧, (૮) નો ઉશ્વાસ નિશ્વાસક છે. (૯) અવિરત જ હોય છે. (૧૦) સપ્તવિધ બંધક જ છે. (૧૧) સંજ્ઞા-૪ (૧૨) કષાય–૪. (૧૩) વેદ–૩. (૧૪) અનુબંધ ૧ સમય જ. (૧૫) સ્થિતિ ૧ સમય. (૧૬) સમુદ્દાત ૨. (૧૭) ત્રણ વેદના બંધક છે. અબંધક નથી. (૧૮) મરણ નથી. (૧૯) ગતિ પણ નથી. પહેલા, ત્રીજા, પાંચમાં, ઉદ્દેશા એક સમાન છે. બાકી આઠ ઉદ્દેશા એક સમાન છે. અર્થાત્ ચોથા, આઠમાં, દશમામાં પણ કોઈ અંતર નથી. એક યુગ્મની જેમ જ ૧૬ યુગ્મ કહેવા. પરંતુ પરિમાણ દ્વારમાં પોત પોતાની રાશિનાભિન્ન પરિમાણ કહેવા. આ પહેલો અંતર શતક પૂરો થયો.
કૃષ્ણ લેશી અંતર શતકના પહેલા ઉદ્દેશામાં ૧૨ દ્વારમાં ફર્ક(અંતર) હોય છે. જેમ (૧) બંધ. (૨) વૈદક (૩) ઉદય (૪) ઉદીરણા (૫) લૈશ્યા (૬) બંધક (૭) સંજ્ઞા (૮) કષાય (૯) વેદ બંધક આ ૯ દ્વાર બેઇન્દ્રિયની જેમ જ છે. (૧૦) અવેદી નહીં ત્રણ વેદ. (૧૧.૧૨) અનુબંધ સ્થિતિ—એક સમય અને ૩૩ સાગર. બાકી દ્વાર સન્નીના પ્રથમ અંતર શતક જેવુ છે. આ બીજા અંતર શતકનો પહેલો ઉદ્દેશો થયો.
બીજા ઉદ્દેશામાં-૧૩દ્વારમાં તફાવત (ણાણતા) હોય છે. તે પ્રથમ શતકના બીજા ઉદ્દેશા સરખા છે. એ ધારોના નામ (૧) અવગાહના (૨) બંધ (૩) ઉદીરણા (૪) દૃષ્ટિ (૫) યોગ (૬) શ્વાસ (૭) વિરતિ. (૮) બંધક. (૯) સ્થિતિ. (૧૦) અનુબંધ (૧૧) સમુદ્દાત (૧૨) મરણ (૧૩) ગતિ. બાકી વર્ણન પહેલા અંતર શતક જેવું છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org
૨૦૮
Jain Education International