________________
-
- -
-
-
-
-
--
-
કર્યા. (ર) અથવા તિર્યંચ મનુષ્યમાં (૩)તિર્યંચ નરકમાં (૪) તિર્યંચ દેવમાં કર્યા હતા. (૫) તિર્યંચ નરકમનુષ્ય (૬) તિર્યંચ નરકદેવમાં. (૭) તિર્યંચ મનુષ્યદેવમાં કર્યાહતા. અથવા (૮) તિર્યંચનરકદેવ મનુષ્યમાં કર્યા હતા.આ જુદા-જુદાજીવોમાં કુલ-૮ભંગ જ થઈ શકે છે.
ઉપરોક્ત ર૬માં શતકમાં કહેલ ૧૧ દ્વારના ૪૭ બોલોમાંથી જયાં જે બોલ મળી શકે એમાં સમાર્જિનના આઠ ભંગ કહેવા, પછી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના સમાર્જનની અપેક્ષા પણ આઠ ભંગ કહેવા, પછી અનંતરોત્પન્નક વિગેરે અગિયાર ઉદ્દેશામાં પણ જે બોલ હોય એમાં આઠ આઠ ભંગ કહેવા. નોધઃ- અહીં પ્રથમ ભંગથી એવા જીવોની સિદ્ધિ થાય છે કે જેઓ ભૂતકાળમાં અનાદિથી આજ સુધી તિર્યંચ ગતિમાં જ છે. એનાથી અવ્યવહાર શશિનો સ્વીકાર થાય છે.
છે શતક ૨૮ સંપૂર્ણ છે.
શતક : ર૯ જીવ પાપ કર્મવેદનનો પ્રારંભ અને વેદનની સમાપ્તિ સાથે પણ કરે છે અને અલગ અલગ પણ એના ચાર ભંગ બને છે.
અહીં કર્મ વેદનની પૃચ્છા ભવ સાપેક્ષ છે. એટલે જે (૧) સાથે જન્મે, સાથે મરે તે એ ભવના કર્મવેદન સાથે પ્રારંભ કરે છે અને સાથે જ સમાપ્ત કરે છે. (ર) જે સાથે જન્મે અને અલગ અલગ મરે તો તે પ્રારંભ સાથે કરે પરંતુ સમાપ્તિ અલગ અલગ સમયમાં કરે. (૩) જો અલગ સમયમાં જન્મે અને સાથે મરે તો તે એ ભવમાં કર્મ વેદના પ્રારંભ અલગ અલગ સમયમાં કરે અને સમાપ્તિ સાથે કરે. (૪) જો અલગ સમયમાં જન્મે અને અલગ સમયમાં મરે તો તે એ ભવ સંબંધી સર્વે(બધા) કર્મવેદન અલગ અલગ પ્રારંભ કરે અને અલગ અલગ જ સમાપ્ત કરે.
આ પ્રમાણે ૧૧ દ્વાર, ૪૭ બોલ, ૮ કર્મ, ૨૪ દંડક સંબંધી ઉપર કહેલા વર્ણનમાં આ ચારેય ભંગ કહેવા. પછી અનંતરોત્પન્નક વિગેરે ચાર ઉદેશામાં બે ભંગ જ કહેવા. પરંપરાત્પન્નકવિગેરે બાકી બધા (૬) ઉદ્દેશકમાં ચાર ભંગ કહેવા. અનંતરોત્પન્નકવિગેરેમાં બધા જીવ સાથે જ જન્મે છે. અલગ સમયમાં જન્મવાનો વિકલ્પ ત્યાં હોતો નથી. એટલે ચાર ભંગ ન બનતા બે ભંગ જ બને છે.
છે શતક ર૯ સંપૂર્ણ છે
રપ૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org