________________
નોંધ :- (૧) તપ કરવા વાળા અને કરેલા એમ બે ભેદ પરિહાર વિશુદ્ધિના છે. સંકિલષ્યમાન અને વિશુદ્ધયમાન(પડતા–ચઢતા) એમ બે ભેદ સૂક્ષ્મ સંપરાયના છે. યથાખ્યાતના ત્રણ પ્રકારે બે—બે ભેદ છે—(૧) ઉપશાંત મોહ, ક્ષીણ મોહ (૨) છદ્મસ્થ, કેવળી (૩) સયોગી, અયોગી.
(૨)છેદોપસ્થાપનીયઅને પરિહારવિશુદ્ધચારિત્રમાં અસ્થિતકલ્પ અને કલ્પાતીત બે નહીં હોવાથી ત્રણ કલ્પ છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતમાં સ્થિત, અસ્થિત અને કલ્પાતીત આ ત્રણ કલ્પ હોય છે.
(૩) સામાયિક છેદોપસ્થાપનીયમાં – મૂળ ગુણ અને ઉત્તર ગુણ પ્રતિસેવના એ બે અને ત્રીજો અપ્રતિસેવના એ ત્રણ ભેદ છે. શેષ ત્રણ ચારિત્રમાં અપ્રતિસેવી એક જ વિકલ્પ છે.
(૪) સામાયિક ચારિત્ર એક ભવમાં સેંકડો વાર આવી શકે છે. પરંતુ છેદોપસ્થાપનીયમાં એવું હોતું નથી. તે તો ઉત્કૃષ્ટ ૧૨૦ વાર જ આવી શકે છે. જેમાં પણ પરિહાર વિશુદ્ધથી અનેક વાર આવવુ, સામાયિકથી આવવુ અને અસંયમમાં જઈ આવવુ વિગેરે નો સમાવેશ છે. આઠ ભવની અપેક્ષા ઉત્કૃષ્ટ ૯૬૦ વાર આવે છે. (૫) ઓગણત્રીસ (૨૯) વર્ષની ઉંમર પહેલાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરી શકાતુ નથી. તીર્થંકરના શાસનની અપેક્ષા છેદોપસ્થાપનીયના ૨૫૦ વર્ષ જઘન્ય કાળ છે અને ઉત્કૃષ્ટ શાસન ચાલવાની અપેક્ષા અર્ધા ક્રોડાક્રોડ સાગરોપમ છે. પરિહાર વિશુદ્ધ ચારિત્રના બે પાટ પરંપરાની અપેક્ષા જઘન્ય ૧૪૨ વર્ષ થાય છે. ઉત્કૃષ્ટ બે કરોડ પૂર્વ ૫૮ વર્ષ ઓછા થાય છે.
(૬) એક જીવની અપેક્ષા અંતર (જઘન્ય અને ઉત્કૃષ્ટ) પાંચેય ચારિત્રના સરખા છે. અનેક જીવની અપેક્ષા બે ચારિત્ર શાશ્વત છે. સૂક્ષ્મ સંપરાયમાં ઉત્કૃષ્ટ ૬ મહિના સુધી કોઈ થતા નથી. છેદોપસ્થાપનીય–૨૧૦૦૦ ના ત્રણ આરા (છઠ્ઠો, પહેલો, બીજો) સુધી થશે નહિ. પરિહાર વિશુદ્ધ જઘન્ય ૨૧૦૦૦ વર્ષના ચાર આરાના ૮૪૦૦૦વર્ષ (૫,૬,૧,૨આરા) સુધી થતા નથી. ઉત્કૃષ્ટ યુગલિયા કાળના આરા સુધી થતા નથી. જેથી (૨+૩+૪+૪+૩+૨=) ૧૮ ક્રોડાક્રોડ સાગર કાળ થઈ જાય છે.
(૭) છેદોપસ્થાપનીયમાં પૂર્વ પ્રતિપન્ન (નવા જુના) કયારેક થાય છે. કયારેક થતા નથી. ભરત, ઐરાવતમાં જ થાય છે. મહાવિદેહમાં હોતા નથી. ભરતમાં પણ કોઈ આરામાં થાય, કોઈ આરામાં થતા નથી. જ્યારે થાય છે ત્યારે જઘન્ય ૧.૨.૩. ઉત્કૃષ્ટ
ભગવતી સૂત્રઃ શતક-૨૫
Jain Education International
For Private & Personal Use Only
ર૫૧
www.jainelibrary.org