________________
ચાર સાથે ઉપવાસ કરે છે. ચોમાસામાં અટ્ટમ, ચાર કે પાંચ સાથે ઉપવાસ કરે છે. પારણામાં આયંબિલ કરે છે. આ તપ નિરંતર ચાલે છે. અર્થાત્ એક આયંબિલ પછી ફરીથી તપસ્યા ચાલુ રહે છે. દરેક છ મહિના પછી સાધકોનો ક્રમ બદલાતો રહે છે. ૧૮ મહિનામાં બધાનો ક્રમ આવી જાય છે. ૧૮ મહિના પછી આ તપસ્વી સાધક પોતાની આ સાધનાને વિસર્જિત કરી ગુરુ સેવામાં આવી શકે છે અને આગળ વધારવા ઈચ્છે તો તે જ ક્રમમાં-૬મહિના બદલીને કરી શકે છે.
આ પ્રમાણે આ ચારિત્ર ઓછામાં ઓછા ૧૮ મહિના માટે ધારણ કરી શકાય છે. ઉત્કૃષ્ટ આમાં જીવનભર પણ રહી શકાય છે. આમાંથી કોઈ સાધક વચ્ચમાં આયુષ્ય પૂરું કરી શકે છે અને વિશિષ્ટ પ્રસંગ વશ કોઈ સાધક વચ્ચમાં આવીને સમ્મિલિત પણ થઈ શકે છે. આ સાધના પૂર્વધારી શ્રમણ જ કરે છે. દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા તથા ૯માં પૂર્વની ત્રીજી આચાર વસ્તુથી ઉપરી જ્ઞાનવાળા ધારણ કરે છે. એનાથી ઓછા જ્ઞાનવાળાને આજ્ઞા અપાતી નથી. તથા વધારે જ્ઞાનવાળાને એવી ગચ્છ મુક્તિની કોઈપણ પ્રકારની સાધનાઓની આવશ્યકતા જ રહેતી નથી. આ તપને ઓછામાં ઓછા ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા જ ધારણ કરી શકે છે.
અન્ય અનેકવિષયોનું વર્ણન આગળસાતમાં ઉદ્દેશકમાં ૩૬ધારોથી કરવામાં આવશે. ત્યાં આ ચારિત્ર સંબંધી ઘણા તત્ત્વોની જાણકારી છે. (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર:- ઉપર કહ્યા મુજબ કોઈપણ ચારિત્રોનું પાલન કરતાં કરતાં જ્યારે મોહ કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ થઈ જાય છે, કેવળ સૂક્ષ્મ સંજવલન લોભનો ઉદય માત્ર બાકી રહે છે, એવી સાધકની અવસ્થાને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર” કહેવાય છે. આ ચારિત્રમાં દશમું ગુણસ્થાન હોય છે. બીજું વર્ણન આગળ સાતમાં ઉદેશકમાં ૩૬ દ્વારોથી બતાવ્યું છે. (૫) યથાખ્યાત ચારિત્ર – સૂકમ સપરાય ચારિત્રથી આગળ નીકળી સાધક આ ચારિત્રમાં પ્રવેશ કરે છે. અર્થાત્ અવશેષ સંજ્વલન લોભ મોહ કર્મનો સંપૂર્ણ ઉપશમ અથવા ક્ષય કર્યા પછી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એના બે વિભાગ છે. (૧) ઉપશાંત મોહ યથાખ્યાત. (૨) ક્ષીણ મોહ યથાખ્યાત. ઉપશાંત મોહ યથાખ્યાત અસ્થાઈ હોય છે. અંતર્મુહૂર્ત પછી સમાપ્ત થઈ જાય છે. ત્યારે સાધક ફરી સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં પહોંચી જાય છે. ક્ષીણ મોહ યથાખ્યાતવાળા આગળવધી અંતર્મુહૂર્તમાં જબાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન,કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. ઉપશાંત મોહ યથાખ્યાતમાં એક અગિયારમું ગુણસ્થાન છે અને ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્રમાં ૧૨, ૧૩, ૧૪, ત્રણ ગુણસ્થાન છે અને આ પ્રમાણે કુલ ૪ ગુણસ્થાન છે. જેમાં બે છઘ0 ગુણ સ્થાન છે અને બે કેવળી ગુણસ્થાન છે. તેરમાં ચદમાં ગુણસ્થાનમાં ચાર અઘાતિ કર્મ રહે છે. (૧) વેદનીય (૨) આયુ (૩) નામ (૪) ગોત્ર.જ્ઞાનવરણીય, દર્શનાવરણીય અને આંતરાય આ ત્રણ ઘાતી કર્મ ૧ર માં ગુણસ્થાનના અંતિમ સમયમાં પૂર્ણ રૂપથી ક્ષય થાય છે અને અવશેષ ચાર ર૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org