________________
અવગાહના :- અવગાહના પ્રદેશોની સંખ્યા ચાર્ટમાં બતાવી છે. એ સંખ્યાથી જાણી શકાય છે કે અવગાહના પ્રદેશ કૃતયુગ્મ છે અથવા કયા યુમ છે. ૧૨, ૨૦, ૪૦, ૩ર, ૪, ૮ સંખ્યાવાળા કૃતયુગ્મ અવગાહનાવાળા છે. ૩, ૭, ૩૫, ૨૭, ૧૫ સંખ્યાવાળા તેગ યુમ અવગાહનાવાળા છે. ૬ રની સંખ્યાવાળા દાવર યુમ અવગાહનાવાળા છે. ૫, ૯, ૪પ સંખ્યાવાળા કલ્યોજ યુગ્મ અવગાહનાવાળા છે. ઓઘાદેશની અપેક્ષા બધા સંસ્થાનવાળા આખા લોકમાં વ્યાપ્ત છે અને લોકના આકાશ પ્રદેશ કૃત યુગ્મ છે. એટલે ઓઘાદેશ (સમુચ્ચયની અપેક્ષા) કૃત યુમ પ્રદેશાવગાઢ છે અને વિધાનાદેશ(વ્યક્તિગત અપેક્ષા)થી ઉપર કહેલા ચાર્ટમાં કહેલી સંખ્યાથી સમજવુ. સ્થિતિ વર્ણાદિ – બધા સંસ્થાનોમાં સ્થિતિ કોઈ પણ હોઈ શકે છે. વર્ણાદિ પણ એકગુણયાવતુઅનંત ગુણ પણ હોઈ શકે છે. એટલે વ્યક્તિગત અપેક્ષાચારેયમાંથી કોઈ પણ એક યુગ્મ હોઈ(થઈ શકે છે અને સમુચ્ચયની અપેક્ષા ચારેય પણ યુગ્મની સ્થિતિવાળા અને વર્ણાદિવાળા સંસ્થાન હોઈ શકે છે. શ્રેણિઓ – આકાશની શ્રેણિઓ અનંત છે. એ એક પ્રદેશી પહોળી તથા અનંત પ્રદેશી લાંબી લોકાલોક પ્રમાણે સંલગ્ન હોય છે. અપેક્ષાથી એના લોકાકાશની શ્રેણિઓ અને આલોકાકાશની શ્રેણિઓ એમ બે ભેદ માનવામાં આવે છે.
લોકઅસંખ્યપ્રદેશલાંબો, પહોળો અને ઉંચો નીચો છે. એટલે આ અપેક્ષાથી તે શ્રેણિઓ અસંખ્ય પ્રદેશ છે અને લોકમાં તે શ્રેણિઓ પણ અસંખ્ય છે, અનંત નથી. લોકમાં ચારે દિશાઓમાં ત્રાંસા ખૂણા પણ છે. જેમાં પાંચમાં દેવલોકની પાસે. આ કારણ અને આ ભેદથી–અપેક્ષાથી લોકમાં કેટલીક સંખ્યાત પ્રદેશી શ્રેણીઓ હોય છે. બાકી બધી અસંખ્ય પ્રદેશી હોય છે. અલોકમાં પણ આ કારણે સંખ્યાત અસંખ્યાત પ્રદેશી કેટલીક શ્રેણિઓ લોકની બહાર નિકટમાં હોય છે. એના સિવાય બધી અનંતપ્રદેશી શ્રેણિઓ હોય છે.
લોક ઉપર નીચે સમતલ છે. ચારેય દિશાઓમાં વૃદ્ધિ હોવાના કારણે વિષમ છે. એવિષમતાના કારણે જ અસંખ્ય પ્રદેશી લાંબા પહોળા લોકમાં સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે અને એ જ કારણથી અનંત પ્રદેશ અલોકમાં અસંખ્યાત અને સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે. તે ઉપરથી નીચેની તરફ બને છે. લોકની બધી શ્રેણિઓ સાદિ શાંત છે. અર્થાત્ બન્ને દિશાઓમાં એનો અંત છે. અલોકમાં લોકને કારણે સાદિ અનંત છે અને લોકસિવાયના સ્થાન વાળી અનાદિ અનંત છે. શ્રેણી યુગ્મ: - સમુચ્ચય શ્રેણિઓ, લોકની શ્રેણિઓ અને અલોકની શ્રેણિઓ કૃત યુગ્મ છે. એના પ્રદેશ સમ્મચયમાં કૃયુમ છે. લોકમાં પૂર્વ પશ્ચિમ– કૃતયુગ્મ અથવા દાવરયુગ્મ છે. ઉપર નીચે કૃતયુગ્મ છે. અલોકમાં પૂર્વ-પશ્ચિમની અપેક્ષા ચારેય યુગ્મ પ્રદેશ હોઈ શકે છે. ઉપર નીચેની અપેક્ષા ત્રણ યુગ્મ હોઈ શકે છે. કલ્યોજ યુગ્મ નથી.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા
ટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org