SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ઔદારિક, વૈક્રિય, આહારક શરીર હેતુ સ્થિત અને અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે. તૈજસ, કાર્મણ શરીર અને મન યોગ હેતુ સ્થિત પુદ્ગલ જ ગ્રહણ કરી શકાય છે. બાકી પાંચ ઇન્દ્રિય અને વચન કાયા યોગ હેતુ સ્થિત, અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે. (૩) ઔદારિક તૈજસ, કાર્મણ—શરીર, કાય—યોગ, સ્પર્શેન્દ્રિય આ પાંચ બોલ એકેન્દ્રિયને હોય છે. એટલે દિશાની અપેક્ષા રૂ. ૪. ૫. ૬. દિશાથી એના પુદ્ગલ ગ્રહણ નિઃસરણ હોય છે. બાકી આઠ બોલમાં નિયમા દિશાથી પુદ્ગલોનું ગ્રહણ હોય છે.શ્વાસોચ્છવાસ હેતુ પુદ્ગલ ગ્રહણ વિગેરે વર્ણન, ઔદારિક શરીરના સરખા છે. ઉદ્દેશક ઃ ૩ સંસ્થાન ૬ :– (૧) પરિમંડલ = બંગડીનો આકાર (૨) વૃત્ત = પૂર્ણ ચંદ્રનો આકાર (૩)ત્ર્યસ્ર-શીંગોડાનો આકાર (૪) ચતુરસ– બાજોઠનો આકાર (૫) આયત-લાકડાના પાટિયાનો આકાર (૬) અનિëસ્થ = મિશ્રિત આકાર = ૨, ૩ સંસ્થાનોના યોગ. પરિમંડળમાં વધુ પ્રદેશ લાગે છે. એટલે તે લોકમાં અલ્પ છે. વ્રત, ચતુરસ, વ્યસ, આયતમાં ક્રમશઃ ઓછા ઓછા પુદ્ગલ પ્રદેશ લાગે છે અને એની સંખ્યા લોકમાં ક્રમશઃ વધુને વધુ છે. અનિથંસ્થ-મિશ્ર હોવાથી બધાથી વધારે છે. અને એના પ્રદેશોના યોગ પણ બધાથી(અધિક)વધારે હોય છે. અનિથૅસ્થના દ્રવ્યથી પરિમંડલના પ્રદેશ અસંખ્યગુણા હોય છે. બાકી ક્રમ ઉક્ત પ્રકારથી જ દ્રવ્ય અને પ્રદેશોના હોયછે. બધા જ પરસ્પરમાં સંખ્યાતગુણા છે. પરંતુ અનિયંસ્થ અસંખ્યાતગુણા છે. આમ તો સ્વતંત્ર ગણત્રીમાં બધા અનંત અનંત હોય છે. પ્રત્યેક પૃથ્વી અથવા વિમાન વિગેરેમાં પણ આ બધા અનંત અનંત હોય છે. સંસ્થાન યુગ્મ ઃ-પરિમંડલ વિગેરે પ્રત્યેક સંસ્થાન સ્વયંની(પોતાની) અપેક્ષા અર્થાત્ વિધાનાદેશથી એક દ્રવ્ય હોવાથી કલ્યોજ યુગ્મ છે. બહુવચનમાં પણ બધા પોતાની વ્યક્તિગત અપેક્ષાથી અનેક કલ્યોજ યુગ્મ છે અને ઓઘાદેશથી એટલે સમુચ્ચયની અપેક્ષાથી અર્થાત્ બધાની સમ્મિલિત ગણત્રીની અપેક્ષાથી કયારેક કૃતયુગ્મ પણ હોઈ શકે છે. કયારેક તેઓગ યુગ્મ, કયારેક દાવર યુગ્મ અને કયારેક કલ્યોજ યુગ્મ પણ થઈ શકે છે. કારણ કે પુદ્ગલ ઓછા વધુ થતા રહે છે. એટલે એમની સંખ્યા પરિવર્તિત થતી રહે છે. જેથી કયારે પણ, કોઈ પણ યુગ્મ સંખ્યામાં તે થઈ શકે છે. આ સિદ્ધાંત પરિમંડલ વગેરે પાંચ સંસ્થાનમાં દ્રવ્યની અપેક્ષા એક સરખા છે. પ્રદેશની અપેક્ષામાં પ્રત્યેક સંસ્થાનના પ્રદેશોની ગણત્રીથી એના યુગ્મ કહી શકાય છે. પ્રત્યેક સંસ્થાનની પ્રદેશ સંખ્યા એના ભેદ કરીને બતાવી છે. તે આ પ્રમાણે છે. રર૪ Jain Education International મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy