SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સારાંશ સાહિત્ય વિશે ગોંડલ ગચ્છ શિરોમણી ૫. પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.નું મંતવ્ય મહામનીષી ત્રિલોકઋષિજી દ્વારા “સારાંશ સાહિત્ય” પ્રકાશિત થઈ 1 રહ્યું છે. જેમાં ક્રમશઃ બત્રીસ આગમોનું સંપાદન થયું છે. આ સાહિત્ય I આગમોનો સારભૂત છે, એટલું જ નહીં પરંતુ કેટલાક ક્રાંતિબીજોનું વાવેતર પણ એમાં છે. મુનિશ્રીની વિચારધારા સોળઆના જૈનાગમને અનુકૂળ હોવા હું છતાં રૂઢિવાદની ‘શલ્ય ચિકિત્સા’” કરનારી છે, તે નિર્વિવાદ સત્ય છે. મુનિશ્રીનું ચિંતન અને મનન નિર્ભેળ, સ્પષ્ટ અને સંયમિત ભાષામાં I સત્યનું નિરૂપણ કરે છે. તેમને કોઈ પ્રકારનો સંપ્રદાય મોહ કે બીજા કોઈ અવરોધ માન્ય નથી. તેઓ સૌનું પોતપોતાના સ્થાને સન્માન જાળવીને પણ; પરંપરામાં જેવૈપર્ય આવ્યું છે, તેના પર “કરારો” પ્રહાર કરે છે અને ભગવાન । મહાવીર સ્વામીના એક અપ્રતિબદ્ધ સંત તરીકે મહાવીર દર્શનનું સાંગોપાંગ । I તેમજ આગમને આધારે ઉદ્ઘાટન કરે છે; જે વાંચતાં આનંદ ઉપજાવે છે. I જોકે સંપ્રદાયથી બંધાયેલા અને પારંપરિક વિચારધારામાં જકડાયેલા વ્યકિત કે વ્યક્તિસમૂહને કદાચ ન ગમે, વિરોધાત્મક પણ લાગે અને મહાવીર માં દર્શનથી આ સાહિત્ય નિરાળું છે, વિરોધી છે, તેવું કહેવા માટે તે લોકો લલચાય । I પણ ખરા ! જે રીતે સૂર્યોદય થતા સહજ અંધારૂ નાશ પામે છે, તે રીતે સાચી I સમ્યગ્ધારા પ્રકાશિત થતા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાનો જ છે. અત્યારે જૈન જગતને ફરીથી જાગવાની તક મળી છે. ' I આ સાહિત્ય દ્વારા રૂઢિવાદથી મુક્ત થવાના નામે નવા વર્ગને સ્વચ્છંદી । બનાવવાનો ઉદ્દેશ ઝલકતો નથી પરંતુ આગમ મનીષી મુનિશ્રીનું સારાંશ | I સાહિત્ય ભગવાન મહાવીર સ્વામીના ત્રૈકાલિક હિતદર્શનની સાથે જોડીને I રૂઢિવાદની સીમાઓથી પર થઈ વ્યાપક દર્શન કરાવે છે. મંગલકામના ઃ- મહા મનીષી ત્રિલોકઋષિજી! આપનો આ પ્રયાસ સફળ થાય । તેમ અમો ઈચ્છીએ છીએ. કારણ કે આપના ચિંતનની દરેક પંક્તિમાં ક્રાંતિના બીજો | મેં સંચિત રહેલા છે. આગમોની સત્યતાપૂર્ણ ઋજુભરી ભાવનાઓ પર અને આગમ I I નિર્મળ પ્રરૂપણા ઉપર વિધિવાદનો જે જંગ લાગી રહેલ છે અને દુરાગ્રહના વાદળો | | છવાઈ ગયા છે તેનું નિવારણ કરવા માટે આપનું આ સાહિત્યિક ભગીરથ પુરુષાર્થ આગમના મૌલિક બીજોને(ગૂઢ તત્ત્વોને) અવશ્ય નવપલ્લવિત કરશે. ' રર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy