SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ એટલા માટે તે અનુત્તર દેવ કહેવાય છે. ઉદ્દેશક : ૮ (૧) સાતે નરક પૃથ્વી અને વિમાનો વચ્ચે અસંખ્ય યોજનાનું અંતર છે. રત્નપ્રભા પૃથ્વી અને જ્યોતિષીનું અંતર ૭૮૦યોજનનું છે. સિદ્ધશિલા અને અનુત્તરવિમાનનું અંતર ૧ર યોજનાનું છે. સિદ્ધશિલાથી અલોકનું અંતર ઉભેંઘાંગુલના એક યોજન પ્રમાણ છે.(લીયા નોયો = લઘુ યોજન;) (૨) રાજગૃહી નગરમાં ભગવાન અને ગૌતમસ્વામીની સામે રહેલ શાલ– વૃક્ષના સંબંધમાં ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાનને કહ્યું કે આ શાલવૃક્ષનો જીવ અહીંથી મરીને આ નગરીમાં ફરીથી શાલવૃક્ષ રૂપમાં જન્મ લેશે. ત્યાં તે લોકો દ્વારા પૂજિત સન્માનિત થશે, દેવાધિષ્ઠિત થશે. પછી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થઈ જશે. આ શાલવૃક્ષની શાખાના મુખ્ય જીવ મરીનેવિધાચલ પર્વતની તળેટીમાં માહેશ્વરીનગરમાં શાલવૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં તે વંદિત, પૂજિત અને દેવાધિષ્ઠિત થશે. એના પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ જશે. આ ઉંબરવૃક્ષની શાખાનો જીવ પાટલિપુત્રનગરમાં પાટલી વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. બાકીનું વર્ણન ઉપર પ્રમાણે સમજવું. (ર) અમ્બડ શ્રાવકનું વર્ણન ઔપપાતિક સૂત્ર સારાંશ ખંડ–૭થી જાણવું. (૩) અવ્યાબાધ દેવ :- આ દેવ પોતાની દૈવિક શક્તિ દ્વારા કોઈ વ્યક્તિની આંખોની પલક પર ૩ર પ્રકારના નાટકદેખાડી શકે છે. એવું કરતાં પણ તે વ્યક્તિને જરાપણ બાધા પરેશાની થવા દેતા નથી. આ સાતમા લોકાંતિકદેવ છે. (૪) શહેન્દ્ર દેવેન્દ્ર - પોતાની શક્તિથી કોઈપણ વ્યક્તિના માથાનું છેદન કરી, ચૂર્ણ ચૂર્ણ કરી કમંડલમાં નાખી દે અને પછી એ જ સમયે ચૂર્ણ જોડી દે. આ બધું એટલી બધી ઝડપ અને ચીવટની સાથે કરે છે કે એ પુરુષને જરાપણ તકલીફ થવા દેતા નથી, દૈવિક શક્તિથી સ્વલ્પ દુઃખ પણ ઉપર કહેલ કાર્યમાં થતું નથી. (૫) ભકદેવ - આ દેવ ક્રિીડામાં અને મૈથુન સેવન પ્રવૃત્તિમાં આસક્ત રહેતા હોય છે. આ તિચ્છ લોકના વૈતાઢય પર્વતો પર રહે છે. જેના પર સંતુષ્ટ થઈ જાય તેને ધન માલ વગેરેથી ભરપૂર કરી દે છે અને જેના પર રુષ્ટ થઈ જાય એને કેટલાક પ્રકારની હાનિ પહોંચાડે છે. આ એક પ્રકારનાવ્યતર જાતિનાદેવ છે. ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં અને દેવકુ, ઉત્તર કુરુક્ષેત્રના કંચનગિરિ પર્વતો પર ચિત્ર-વિચિત્ર, યમક નામના પર્વતો પર રહે છે. એની એક પલ્યોપમની ઉંમર હોય છે. આ દેવોના મનુષ્ય લોકના આહાર, પાણી, ફલ વગેરે પર અધિકાર હોય છે. એનામાં હાનિ-વૃદ્ધિ કરી શકે છે. એના દસ નામથી જ એના કાર્યસ્પષ્ટ થાય છે. જેમ કે (૧) અન્નજુંભક (૨) પાનજુંભક (૩) વસ્ત્રજ્ભક (૪) લયન (મકાન) જુંભક (૫) શયન જૈભક (૬) ૧૫૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy