________________
કાંઈપણ નબોલી શક્યો. પછી યોગ્ય સમયે ઉદાયનરાજાએદીક્ષા અંગીકાર કરી. મહોત્સવ વગેરે વિસ્તૃત વર્ણન જમાલીના વર્ણન સમાન છે. કેશિરાજા અને પ્રભાવતી રાણી વગેરેએ દીક્ષાની આજ્ઞા આપી. ઉદાયનરાજાએ સંયમ તપનું યોગ્ય વિધિએ પાલન કર્યું. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરી સમસ્ત દુખોનો અંત કરી દીધો.
અભીચિકુમારનું ચંપામાં જવાનુંઃ– અભિચિકુમારને કોઈ સમય રાત્રિમાંચિંતન કરતાં રાજ્ય સંબંધી ટિત ધટનાની સ્મૃતિ થઈ. માનસિક વેદના વધી અને પિતા ઉદાયનરાજા માટે અત્યંત અપ્રીતિકારક વિચાર ઉત્પન્ન થયો કે હું ઉદાયનનો પુત્ર અને પ્રભાવતીનો આત્મજ છું. મને છોડીને ભાણેજને રાજ્ય આપ્યું. આ મારી સાથે અત્યંત અનુચિત કર્તવ્ય કર્યું. વગેરે સંકલ્પોથી એનું મન ત્યાંથી રાજ્ય છોડીને અન્યત્ર ચાલ્યા જવા માટે થઈ ગયું અને પિતા ઉદાયનના માટે વૈરભાવ પ્રબળ થઈ ગયો.
સંપૂર્ણ તૈયારી કરીને પોતાના પરિવાર અને ધન સામગ્રી સહીત તે ગ્રામાનુગ્રામ થતા ચંપાનગરીમાં રાજા કોણિકની પાસે પહોંચી ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. અભીચિ શ્રમણોપાસક – સંયોગવશ ત્યાં એને ધાર્મિક સંયોગ પણ મળ્યો. કેમકે કોણિક રાજા પણ ભગવાનના પરમભક્ત હતા.અનુક્રમથી અભીચિકુમાર પણવ્રતધારી જીવાજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક બની ગયા. પરંતુ ઉદાયનરાજા પ્રતિ જે વૈરભાવનો સંકલ્પ હતો તેનું પરિમાર્જન ન કર્યું.
--
વિરાધક ગતિ :– શ્રાવકવ્રતોના પૂર્ણ શુદ્ધ-પાલન કરતા અંતિમ સમયમાં એણે સંથારો ગ્રહણ કર્યો. ૧૫ દિવસ ચોવિહારો સંથારો પણ ચાલ્યો. બાહ્યવિધિ આલોચના શુદ્ધિ આદિ પણ કરી. પરંતુ અંતરમનમાં પિતાના કર્તવ્ય પ્રતિ જે ખટકો હતોવૈરભાવના કણ હતા એનું શુદ્ધિકરણ એ સમયે પણ ન કર્યું. આ કારણે વ્રત પાલન અને વ્રત શુદ્ધિ બધુ નિષ્ફળ ગયું. અસુરકાયના આતાપ જાતિના દેવસ્થાનનું આયુબંધ થયો અને વિરાધક થઈનેઅસુરકુમાર જાતિમાં દેવરુપમાં ઉત્પન્ન થયા.
વિરાધક કેમ ? :- અંતર મનમાં દુઃખ અને ખટક માત્રથી વિરાધક થયા. પરંતુ હિંસા અનુબંધી કોઈ સંકલ્પ, રૌદ્રધ્યાન અથવા નિંદા, કદાગ્રહ ન હતા. આ કારણ સંસાર વૃદ્ધિ અને નરક, તિર્યંચ વગેરે ગતિમાં ન ગયા પરંતુ શ્રાવકવ્રત વગેરેના આચરણ પ્રકૃતિ ભદ્રતા, વિનીતતા વગેરે કારણોથી દેવ બન્યા. ભાવોની પૂર્ણ શુદ્ધિ પવિત્રતા ન હોવાથી તે ધર્મના વિરાધક બન્યા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થશે.
=
શિક્ષા – (૧) રાજા હોય અથવા દીક્ષાર્થી હોય, કેવળ એકપક્ષીયચિંતનથી નિર્ણય ન લેવો જોઈએ; એના પ્રતિપક્ષી બીજા પાસાનો વિચાર અવશ્ય કરવો જોઈએ. સાથે આવા ગંભીર વિષયોમાં કોઈ સાથે સલાહ વિચારણા પણ અવશ્ય કરવી જોઈએ. કારણકે હિત ઈચ્છવા છતાં પણ કોઈનું અહિત થવાનો પ્રસંગ ન બને.
(૨) બીજાની ગમે તેવી ભૂલ અને વ્યવહાર હોય પરંતુ હાર્દિક શુદ્ધિપૂર્વક માફ કરીને શાંત પવિત્ર બની જવું જોઈએ. નહીંતર આપણી બધી સાધનાઓ નિષ્ફળ થઈને વિરાધકપણું
૧૫૨
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org